સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામનાં બસ સ્ટેશનથી પ્રવેશવાનાં મુખ્ય રસ્તાની ખરાબ હાલતને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. દેશને આઝાદી મળી એ સમયથી આજદિન સુધી રસ્તાની સ્થિત એ જ હાલતમાં છે. સ્થાનિકોએ રોડ RCCનો પાકો બનાવવા અંગે ગ્રામ પંચાયત સહિત ઉચ્ચ કક્ષા સુધી અનેક વખત રજૂઆત કરવાં છતાં કોઈ કામગીરી થતી નથી. ત્યારે હાલ ચોમાસાની ઋતુમાં રસ્તાં પર કાદવ-કીચડ અને ગંદકી ઉત્પન્ન થવાથી મચ્છરોનો ઉપદ્રવ રહે છે. 15 દિવસમાં RCC રોડ બનાવવાની સ્થાનિકોની માંગ.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામનાં બસ સ્ટેશનથી પેથાભાઈની દુકાન સુધીનાં મુખ્ય રસ્તાની ખરાબ હાલતને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. સ્થાનિકોનું કહેવું છે કે, દેશને આઝાદી મળી એ સમયથી આજદિન સુધી રસ્તાની સ્થિત એ જ હાલતમાં છે. સ્થાનિકોએ રોડ RCCનો પાકો બનાવવા અંગે ગ્રામ પંચાયત સહિત ઉચ્ચ કક્ષા સુધી અનેક વખત રજૂઆત કરવાં છતાં કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. ત્યારે હાલ ચોમાસાની ઋતુમાં રસ્તાં પર કાદવ-કીચડ અને ગંદકી ઉત્પન્ન થવાથી મચ્છરોનો ઉપદ્રવ રહેવાથી રોગ ચાળો ફેલી રહ્યો છે. જેનાથી સ્થાનિકો બિમારીનાં ભોગ પણ બની રહ્યાં છે. આવી સ્થિતિમાં રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓને ખૂબ જ મુશ્કેલી ભોગવી પડી રહી છે.
સ્થાનિકો દ્રારા અનેક વખત રાજચરાડી ગ્રામ પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવા છતાં, “ થઈ જશે, રોડ મંજુર થઈ ગયો છે ટુંક સમયમાં કામ ચાલુ થશે” આમ ગ્રામ પંચાયત દ્રારા ફક્ત વાયદા કરવામાં આવે છે. સ્થાનિકોનું કહેવું છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગામનાં અનેક વિસ્તારોનાં રોડ રસ્તા RCC નાં પાકા બનાવવામાં આવ્યાં છે. પરંતું ગામમાં પ્રવેશવાનાં મુખ્ય રસ્તાની હાલત આઝાદીના સમયથી હજુ એની એજ છે. ઉપરાંત પંચાયતના સભ્યોની અંગત અદાવતને ધ્યાનમાં રાખીને આ રસ્તાનું કામકાજ હાથ ધરવામાં આવતું નથી અને જ્યારે કોઈ દ્રારા રસ્તા બાબતે રજૂઆત કરવામાં આવે તો ફક્ત વાયદા જ કરવામાં આવે છે. 15 દિવસમાં RCC રોડ બનાવવાની સ્થાનિકોની માંગ.