June 25, 2025
Jain World News
Jain FestivalJainism

નવપદ ઓલીમાં સૂર્યાસ્ત પહેલાં ભોજન ગ્રહણ કરવાનું ભુલતાં નહિ

જૈનધર્મ આપણને અહિંસાની રાહ પર ચાલતાં શીખવે છે. આમ જૈનોમાં અહિંસા પરમો ધરમોને અનુસરીને વિવિધ તહેવારો મનાવવામાં આવે છે. જેમાં ઘણા બધા જૈન તહેવારોની પોતાની આગવી વિશેષતાં જોવા મળે છે. જેમાંથી મહાવીર જંયતી, પર્યુષણ, વર્શી ટપા, જ્ઞાન પંચમી, મહામસ્તકાભિષેક જેવા તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જૈનધર્મમાં મનાવવામાં આવતો નવપદ ઓલી તહેવારની વિશેષ જાણકારી મેળવીએ.

જૈનધર્મમાં નવપદ ઓલી તહેવારમાં લોકો નવ દિવસના સમયગાળા દરમિયાન અર્ધ-ઉપવાસ કરે છે. આમ આ તહેવારના નવે નવ દિવસ દરમિયાન જૈનો માત્ર દરરોજનું અત્યંત સાદું ભોજન ગ્રહણ કરતાં હોય છે. નવપદ ઓલી તહેવાર વર્ષમાં બે વખત મનાવવામાં આવે છે. જેમાં માર્ચ-એપ્રિલ અને સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં ઓલી ઉજવવામાં આવે છે. વિશેષમાં જણાવીએ તો, નવપદ એટલે કે સિદ્ધચક્ર. નવપદ ઓલીની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે. ઉત્સવના નવ દિવસોમાંથી દરેક નવ સિદ્ધ ચક્ર પદોમાંથી એકને સમર્પિત છે. આ દિવસોમાં ભક્તો તપ કરે છે. આ તહેવારમાં જૈનો સૂર્યાસ્ત પહેલાં ખોરાક અને ઉકાળેલું પાણી લે છે. ઉપરાંત તહેવારના નવ દિવસ સુધી ધાર્મિક ધૂનો વાંચવું, ધ્યાન કરવું અને જપ કરવું એ નવપદનું સન્માન કર્યું માનવામાં આવે છે.

Related posts

જૈન ધર્મના 15માં તીર્થંકર શ્રી ધર્મનાથ ભગવાન

admin

Ahmedabad : આણંદજી કલ્યાણજી પેઢી ખાતે Mumbai અને Ahmedabad Jain સંગઠનની મીટિંગ યોજાઈ

admin

શું તમે જાણો છો જૈન સાધુ સાધ્વીજી ભગવંતો જીવન કઈ રીતે જીવે છે? | Jain Sadhu Sadhvi

admin

Leave a Comment