દરિયાકાંઠા ભેજવાળા વિસ્તારમાં થતી વનસ્પતિ મેનગ્રુવ ગુજરાતીમાં જેને ‘ચેરીયા’ તરીકે પણ ઓળખાય છે.. દરિયાકાંઠે વસતા લોકો આ વનસ્પતિ અનેકવિધ રીતે ઉપયોગી ગણીને તેનો નાશ કરતાં ખચકાતા નથી, પરંતુ દરિયાઈ પર્યાવરણમાં તેના મહત્વને ધ્યાનમાં રાખીને સરકારી રાહે મેનગ્રુવ બચાવવાની અને ઉગાડવાની ઝુંબેશો હાથ ધરવામાં આવી હતી. દક્ષિણમાં અમુક વર્ષો પહેલા આવેલા ત્સુનામીમાં બધું પાયમાલ થઈ ગયું હતું. પરંતું એ વખતે મેનગ્રુવની વધુ એક ખૂબી ધ્યાનમાં આવી હતી. એમ.એસ. સ્વામીનાથન રીસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ ડો.સ્વામીનાથને ત્સુનામી વિનાશ પછી આપેલા નિવેદનમાં જણાવ્યું કે, ત્સુનામી જેવી કુદરતી આફતોને અટકાવી તો શકાય પણ તેની વિનાશની અસરને ઓછી જરૂર કરી શકાય.
ડો.સ્વામીનાથમ જણાવ્યા પ્રમાણે, મેનગ્રુવ્ઝની હરોળ તોફાની ત્સુનામી સામે અડીખમ ઉભી રહેતા. મદ્રાસના પિચવરમ અને મુથુપેટ જેવા વિસ્તારો તસુનામીના કોપમાંથી બચી ગયા હતા. 14 વર્ષ પહેલાં દેશના પૂર્વ કાંઠા પાર આવેલા મેનગ્રુવની જાળવણી માટે પ્રયાસો આદર્યા હતા. ગુજરાતના ખંભાતના અખાત પાસે મોટા પ્રમાણમાં મેનગ્રુવ્ઝ જોવા મળે છે.આ વિસ્તાર જોવા મળતા ઊંટ પાલક માલધારીઓ પણ મેનગ્રુવ્ઝ જ આભારી છે. મેનગ્રુવ્ઝના પાંદડા ડાળખાનો ખોરાક તરીકે ઉપયોગ કરીને જીવતા ઊંટ અને એવાં ઊંટના ધણ રાખતા માલધારીઓ ગુજરાતની ખાસિયત છે.