દરેક ધર્મની પોતાની ખાસિયત અને આગવા નિતી નીયમો હોય છે. આમ જૈન ધર્મ ઘણા બધા ધાર્મિક તહેવારો મનાવવામાં આવે છે. જેમાં વર્ષમાં અનેક તહેવારો આવતાં હોય છે. ત્યારે જૈનોનાં ધાર્મિક તહેવારોમાં મહાવીર જયંતિ, પર્યુષણ, મહામસ્તકાભિષેક, જ્ઞ્યાન પંચમી, દિવાળી જેવા તહેવારો ઉજવવામાં આવે છે. જેમાં જૈન ધર્મના મનાવવામાં આવતાં મહામસ્તકભિષેક તહેવારની વિશેષતાં અને ખાસિયત વિશે જાણકારી મેળવીએ.
મહામસ્તકાભિષેક એક જૈન ઉત્સવ છે. જેનું આયોજન દર બાર વર્ષે એકવાર કર્ણાટકના શ્રવણબેલાગોલા શહેરમાં કરવામાં આવે છે. આ ઉત્સવમાં ઋષભદેવના પુત્ર સિદ્ધ બાહુબલીની પવિત્ર સ્નાન વિધિ થાય છે. જેમાં ખાસ કરીને તૈયાર કરવામાં આવેલાં જારનો ઉપયોગ કરીને ભક્તો પર તે ઘટ્ટ પાણીનો છંટકાવ કરી તેની ઉજવણી કરાઈ છે. ઉપરાંત તેમની પ્રતિમાને દૂધ, શેરડીના રસ અને કેસરની સામગ્રીથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ તેના પર ચંદન, હળદર અને સિંદૂર લગાડવામાં આવે છે.
મહાસ્તકાભિષેક તહેવારમાં મુખ્યત્વે પાંખડીઓ, સોના અને ચાંદીના સિક્કા અને મૂલ્યવાન પત્થરોનો ઉપયોગ કરીને તે મનાવવામાં આવે છે. આમ જોવા જઈએ તો આ ઘટના બે સાવકા પુત્રો બાહુબલી અને ભરતની કથા પર આધારિત છે. જેમણે બીજા રાજ્ય પર કબજો કરવા માટે દ્વંદ્વયુદ્ધ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે, જ્યારે બાહુબલી દ્વંદ્વયુદ્ધમાં જીત હાંસિક કરે છે. જેમાં તેને એવી અનુભૂતી થાય છે કે, તે ભ્રાતૃહત્યાનું પાપ કરવા જઈ રહ્યો છે. આમ આ પ્રસંગ બાદ બાહુબલી ક્ષમા માટે પ્રાર્થના કરી હતી. પછી બાહુબલીનું મન પરીવર્તન થતાં તે જંગલમાં જાય છે. જ્યાં તેણે માથું મુંડાવી શારીરિક ત્યાગની મુદ્રામાં એટલે કે કયોતસર્ગની મુદ્રામાં લાંબા સમય સુધી ધ્યાન કર્યું. આટલાં સમય સુધી ધ્યાનમાં બેસવાથી વેલાઓ તેની આસપાસ લપેટાઈ ગયા હતાં. અંતે તેને સર્વોચ્ચ શાણપણ મળતાં મોક્ષની પ્રાપ્તી થઈ હતી.