June 20, 2025
Jain World News
FeaturedJain Dharm SpecialJainism

વર્ષીતપ ઉપવાસ કેમ કરવામાં આવે છે? જાણો વર્ષી તપ એટલે શું?

વર્ષીતપ

જૈન ધર્મમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ પરમાત્માએ દીક્ષા અંગીકાર કર્યા પછી લાભાંતરાય કર્મનો ઉદય થાય એ પહેલા 400 દિવસ સુધી એમને નિર્દોષ ભીક્ષાની પ્રાપ્તિ થઈ ન હતી. જેના કારણે ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી એ દિવસથી 400 દિવસ સુધી નિર્જલ ઉપવાસ કર્યો હતો. માટે આવા મહાન તપની સ્મૃતિમાં વર્ષીતપ એટલે કે સંવત્સર તપ કરવામાં આવે છે. ઋષભદેવ ભગવાને 400 ઉપવાસ એક જ સાથે કર્યા હતા. પરંતુ વર્તમાનમાં સંઘયણ બળનો અભાવ હોવાથી 400 ઉપવાસ કરવા સંભવ નથી. આ શિવાય એકાંતર ઉપવાસ કરીને 400 દિવસમાં આ ઉપવાસની સમાપ્તિ થઈ શકે છે.

હવે વાત કરીએ કે, આ તપની શરૂઆત ક્યારે થઈ હતી. તો આપને જણાવી દઈએ કે ચૈત્ર કૃષ્ણા અષ્ઠમીથી આ તપનો પ્રારંભ થયો હતો. એવું માનવામાં આવે છે કે, આ તપનો પ્રારંભ ઉપવાસ અને છઠ્ઠથી થાય છે. આ પછી 400 દિવસ સુધી એટલે કે 13 મહિના અને 11 દિવસ સુધી એકાંતર ઉપવાસ અથવા પારણામાં ઓછામાં ઓછું બિયાસણા કરવામાં આવે છે. ખાસ કરીને આ તપ શરૂ હોય ત્યારે એક સાથે સતત બે દિવસ સુધી ખાઈ શકાતુ નથી.

ઋષભદેવ ભગવાને 400 ઉપવાસ એક જ સાથે કર્યા હોવાથી વર્ષીતપ મનાય છે
ઋષભદેવ ભગવાને 400 ઉપવાસ એક જ સાથે કર્યા હોવાથી વર્ષીતપ મનાય છે
  • ત્રણ ચાતુર્માસીના દિવસે છઠ્ઠ કરવી જોઈએ અને પ્રતિ ચતુર્દશીના દિવસે ઉપવાસ કરવાનો હોય છે. આ પ્રકારે તેમાં આગળ પાછળ એમ છઠ્ઠ વગેરે કરવાનું હોય છે.
  • તપ કરતી વખતે શ્રી ઋષભદેવ નાથાય નમઃ પદનો 2000 વખત જાપ કરવામાં આવે છે.
  • દરરોજ સવારે સાંજ પ્રતિક્રમણ, બ્રહ્મચર્યનું પાલન, 12 સ્વસ્તિક, 12 ખમાસમણ વગેરે વિધિનું પાનલ કરવાનું હોય છે.
  • આ તપ કરવાથી પૂર્ણાહુતિ અક્ષય તૃતીયા વૈશાખ શુક્લા ત્રણ દિવસ માટે કરવામાં આવે છે.
  • આ તપની પૂર્ણાહુતિ અક્ષય તૃતીય વૈશાખ શુક્લ ત્રણ દિવસમાં થાય છે અને તે દિવસે ખાંડના પાણીથી ઠામ ચોવિહાર એકાશના કરવાના હોય છે.

આ પણ વાંચો : 24 તીર્થંકરમાંથી 23 તીર્થંકરોએ દીક્ષા પછી પહેલું પારણું ખીરથી કર્યું હતું

Related posts

Sanathal Overbridge નું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ, અમદાવાદ રિંગ રોડ ટ્રાફિક સમસ્યા હલ થશે

admin

પાલીતાણાનાં રોહિશાળા જૈન તીર્થનો અદભૂત નજારો, આવો શ્રી આદિનાથ ભગવાનનાં દર્શન કરીએ

admin

જૈન સિમ્બોલની આ બાબત તમે કદાચ જ જાણતાં હશો

admin

Leave a Comment