June 24, 2025
Jain World News
Jain PhilosophyJainism

જૈનધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર ભગવાનનો માનવસૃષ્ટિને સંદેશ

મહાવીર સ્વામી એ જૈન ધર્મના 24માં તીર્થકર હતાં અને વાસ્તવમાં મહાવીર સ્વામી 23માં તીર્થંકર પાર્શ્વનાથનાં અનુયાયી હતી. આમ ઈ.પૂ. 700ની આસપાસ જૈનધર્મનાં વિચારોનો ફેલાવો કરવામાં આવ્યો. એટલે કે, જૈન ધર્મ વિશે લોકો સરળતાથી સમજી શકે તે માટે મહાવીર સ્વામીએ લોકભાષા અર્ધમાગધીમાં ઉપદેશ આપ્યો હતો. ત્યારે ભગવાન મહાવીર દ્રારા જીવસૃષ્ટિને આપવામાં આવેલ સંદેશો વિશે માહિતી મેળવીએ.

ભગવાન મહાવીરનું જીવન :

જૈનધર્મના પ્રવર્તક, ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરના જીવનને મુખ્યત્વે ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યું છે. જન્મથી અઠ્યાવીસ વર્ષ સુધી તેમણે એક રાજકુમાર તરીકેનું જીવન પસાર કર્યું. મહાવીરના માતા પિતાના અવસાન થયાના બે વર્ષ સુધી તેઓ ભાવયતિ તરીકે વિતાવ્યું હતું. ત્યારબાદ તેમણે સાડાબાર વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કર્યા પછી તેઓ મહાવીર, તીર્થંકર, જિનપ્રભુ તરીકે ઓળખવામાં આવ્યાં. તેમણે જીવનના અંતિમ તબક્કામાં અનેક જગ્યાએ વિહાર કર્યું. આમ ત્રીસ વર્ષ સુધી આ રીતે વિહાર કરેલું. અંતે પાવાપુરી ખાતે આસો વદ અમાસના દિવસે નિવાર્ણ પામ્યા હતાં. તેઓએ જગતને જીવદયાનો અમુલ્ય સિદ્ધાંત આપ્યો હતો.

પ્રાચીન ગ્રંથોમાંથી મળી આવતાં તેમના વિશ્વસનીય સંવાદોથી જાણવા મળે છે કે, તેઓ નાની ઉંમરથી જ અહિંસાવૃતિ તેમનામાં વિશેષરૂપે આવિભાર્વ પામી હતી. તેઓ સૃષ્ટિ પરના તમામ જીવનાં કોઈપણ પ્રકારે દુઃખમાં વધારો ના થાય તેવું જીવન જીવવા મથામણ કરતાં.

ભગવાન મહાવીરનાં વિચારો :

ભગવાન મહાવીર દુનિયા, દુઃખ અમે જીવન પર કહે છે કે, “દુનિયા માત્ર દુઃખી છે. પોતાની સુખ સગવડ માટે બીજાનું દુઃખ વધારો નહિં. બીજાના દુઃખમાં ભાગીદાર ન બનો તો કાંઈ નહિં પરંતું બીજાનું દુઃખ હળવું કરવાં કે નિવારવા સતત પ્રયત્નશીલ રહો.” આ સિદ્ધાંતને અનુસરતી વાતો તેમના સંપર્કમાં આવનાર દરેકને જણાવતાં કહે છે કે, “મન, વાણી અને દેહની એકતાં સાધો. પછી ત્રણેયનું સંવાદ પેદા કરો અને જે વિચારો છો તે પ્રમાણએ બોલીને તેવું વર્તવું જોઈએ. ઉપરાંત પોતાની અંદર રહેલા શત્રુઓને જ શત્રુ માનવું.”

ભગવાન મહાવીરના મતે હિંસા :

હિંસાથી માનવીને ઘણી બધી નકારાત્મક અસર પડે છે. હિંસાથી અસત્ય, ચોરી વગેરે જેવી ખરાબ આદતો જન્મ લેતી હોય છે. હિંસા, જુઠ, ચોરી, લુચ્ચાઈ વગેરે જેવા દોષો આવેશમાંથી ઉત્પન્ન થતાં હોય છે. જેનાથી સમાજમાં માનવી માનવી વચ્ચે વિખવાદ પેદા થાય છે. સંસારમાં જ્યારથી સામ્યવાદ અને મૂડીવાદની સમસ્યાએ જન્મ લીધો છે ત્યારે તેમાંથી મુક્તી મેળવવા માટે લોક મૈત્રી એટલે કે ભાઈચારની વૃતિ અપનાવી ખૂબ જરૂરી છે.

ભગવાન મહાવીરના સત્ય પરના વિચારો :

ભગવાન કહે છે કે, સત્યનું માત્ર ચિંતન જ કરવું ન જોઈએ. પરંતુ તેનાથી પણ વિશેષ સત્યને ધર્મના માર્ગ દ્રારા જીવનમાં ઉતારવું જોઈએ. સત્ય એ આત્મા છે અને ધર્મ એ આત્માનું શરીર સ્વરૂપ છે. એટલે જે ધર્મમાં સત્યને કોઈ સ્થાન નથી તે પ્રાણ વગરના શરીર સમાન છે. ત્યારે ધર્મમાં સત્યની સંમતિને સ્થાન હોવું આવશ્યક છે. આમ સત્યની સંમતિ વગરનાં ધર્મની કલ્પના પણ ન કરી શકાય. એટલે જ સત્ય અને ધર્મ એકબીજાની કસોટી છે. ત્યારે સત્ય તરીકે જે પ્રતીત થયું તેને જીવનમાં નિત્યના આચાર સ્વરૂપે ઉતારવું જોઈએ. આચારાંગમાં ભગવાન કહ્યું છે કે, “મનુષ્યો ! સત્યને સમજો ! સત્યના સહારે મેઘાવી મૃત્યુને તરી જાય છે.”

Related posts

ગોકુળના રક્ષકને બહાનું બતાવી દામન્નકને કેમ પોતાના નગર રાજગૃહ મોકલ્યો? શ્રી દામન્નક કથા 89

admin

નવપદ ઓલીમાં સૂર્યાસ્ત પહેલાં ભોજન ગ્રહણ કરવાનું ભુલતાં નહિ

admin

જૈન ધર્મના પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથ ભગવાન

admin

Leave a Comment