રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં પાછળ ન રહી જાય તે માટે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્રારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવેથી ધોરણ 1 થી 3 ના તમામ માધ્યમમાં જ અંગ્રેજી વિષયને દાખલ કરી વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. જેમાં ધોરણ 1 અને 2 માં મૌખિક અને ધોરણ 3 માં પુસ્તકના માધ્યમથી વિદ્યાર્થીઓને અંગ્રેજીનું શિક્ષણ આપવામાં આવશે.
ગુજરાતના વિદ્યાર્થીઓનો અંગ્રેજી વિષયમાં પાયો કાચો ન રહે અને અંગ્રેજી વિષયમાં તેમની પકડ સારી બને તે હેતુ સાથે રાજ્ય સરકારે રાજ્યનાં શિક્ષણ મંત્રી દ્રારા મહત્વનો નિર્ણય લેવાયો છે. હાલમાં બધી જ જગ્યાએ અંગ્રેજી વિષયનું પ્રાધાન્ય વધુ જોવા મળે છે. તેવી સ્થિતિમાં વિદ્યાર્થીની આ વિષયમાં કચાશ ના રહી જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ પ્રાથમિક સ્તરે જો વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષય પર ધ્યાન આપશે તો ભવિશ્યમાં ખૂબજ ફાયદાકારક રહેશે. લેવાયેલ નિર્ણયમાં વિદ્યાર્થીઓને ચિત્ર અને શબ્દો થકી અંગ્રેજી શીકવાડવામાં આવશે. આમ રાજ્ય સરકારે ગુજરાતી વિષય સાથે અંગ્રેજી વિષયને પણ ફરજિયાન કર્યો છે.