-
સવારે 9 વાગ્યે યજ્ઞ હવન અને મંત્રોચાર સાથે માતાજીના માંડવાની સ્થાપના કરાઈ
-
15થી 20 હજાર લોકોએ પ્રસાદી ગ્રહણ કરી
ધ્રાંગધ્રામાં મસાણની મેલડી માતાજીના મંદિરે અનેક લોકો દર્શન કરવા આવે છે. ત્યારે મસાણની મેલડી યુવક મંડળ દ્વારા માતાજીનો સાતમો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વહેલી સવારે 9 વાગ્યે યજ્ઞ હવન અને મંત્રોચાર સાથે માતાજીના માંડવાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ પૂજા આરતી પૂર્ણ થતા પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. જેમાં ધ્રાંગધ્રાના 15થી 20 હજાર લોકોએ પ્રસાદી ગ્રહણ કરી હતી. આમ રાત્રે ડાક ડમરુની રમઝટ પછી સવારે મંત્રોચારથી વિધિ અને પૂજન કરીને આ પાટોત્સવની પૂર્ણાહુતી કરવામાં આવશે.
ધ્રાંગધ્રામાં મસાણની મેલડી માતાનું મંદિર વર્ષો જૂનું છે. સમશાનની મેલડી તરીકે ઓળખાતા મસાણી મેલડી માતાના મંદિરે અનેક દર્શનાર્થીઓની ભીડ રહેતી હોય છે. વગડા જેવી જગ્યાને ત્યાના સેવક મંડળનાં યુવાનોએ સમશાન એક સુંદર અને શાંત જગ્યા બનાવી છે. આ કાર્યમાં ધ્રાંગધ્રા નગરપાલિકાનો ખૂબ સારો પ્રતિસાદ હોવાનું સ્થાનિકોઓ જણાવ્યું હતું. ત્યારે મસાણની મેલડી યુવક મંડળ દ્વારા માતાજીનો સાતમો પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યા હતાં. વહેલી સવારે 9 વાગ્યે યજ્ઞ હવન અને મંત્રોચાર સાથે માતાજીના માંડવાની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ આરતી પૂર્ણ થતા દર્શનાર્થીઓમાં પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. જેમાં 15થી 20 હજારથી વધુ લોકોએ પ્રસાદનો ગ્રહણ કરી હતી. અંતે રાત્રે ડાક ડમરુંની રમઝટ બાદ વહેલી સવારે મંત્રોચાર વિધિ અને પૂજન કરીને પાટોત્સવની પૂર્ણાહુતી કરવામાં આવી હતી. તેવામાં વહેલી સવારથી મોડી સાંજ સુધી ભક્તોની માતાજીના દર્શને ભીડ ઉમટી હતી.