એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે નોટોમાં હવે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર અને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ ની તસવીરો હશે. અત્યાર સુધી આ નોટો પર માત્ર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીરો જ છપાતી હતી. હવે આરબીઆઈએ આ અંગે સ્પષ્ટતા જાહેર કરી છે. નોટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર બદલવાનો કોઈ પ્રસ્તાવ ન હોવાનું ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સ્પષ્ટતા કરી છે. મીડિયાના અમુક વિભાગોના મળતા અહેવાલને ધ્યાને રાખીને કેન્દ્રીય બેંકે સ્પષ્ટતા કરી છે કે, ભારતીય રિઝર્વ બેંકની નોટો પર મહાત્મા ગાંધીની છબી હટાવીને અન્ય લોકોની છબી મૂકવાના પ્રસ્તાવ પર RBI ના ચીફ જનરલ મેનેજર યોગેશ દયાલે નિવેદનમાં જણાવ્યાં પ્રમાણે તેમની પાસે આવી કોઈ દરખાસ્ત નથી.
તાજેતરમાં, કેટલાક સમાચારોમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, નાણા મંત્રાલય અને આરબીઆઈ અમુક મૂલ્યની નોટો પર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર અને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ સહિત અન્ય અગ્રણી ભારતીયોની તસવીરોનો ઉપયોગ કરી રહ્યાં છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલીક બેંકો શ્રેણીબદ્ધ નોટ પર કલામ અને ટાગોર વોટરમાર્કનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે.