સુરતમાં એક વ્યક્તિએ 25 લાખ રૂપિયા ફાઈનાન્સર પાસેથી વ્યાજે લીધા પછી તેની પાસેથી 3.66 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. લાખોની સામે કરોડની માગણી થતાં વ્યાજે રૂપિયા લેનારા વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરતા ફાઈનાન્સર ભાઈઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી.
લાભેશ્વર ચોકી પાસે કાપડની દુકાન ધરાવતા મૂળ ગારિયાધારના 33 વર્ષના યુવાન સુધીર ઓશોકભાઈ ગોયાણીએ 25 લાખ રૂપિયા ફાઈનાન્સર પાસેથી વ્યાજે લીધા હતા. ધંધા માટે રૂપિયાની જરુર પડતા તેમણે પરિચિત ફાઈનાન્સર ઘનશ્યામભાઈ રઘુભાઈ ચાવડાને વાત કરી હતી. સુધીરભાઈએ જુલાઈ 2018થી જાન્યુઆરી 2019 દરમિયાન ટુકડે-ટુકડે 6 ટકાના વ્યાજે 25 લાખ રૂપિયા લીધા હતા. બીજી તરફ ઘનશ્યામે વ્યાજે લીધેલા રૂપિયા પર સુધીરને વ્યાજ ગણાવતા કહ્યું કે, 15 ફેબ્રુઆરી 2022માં આ રકમ 86,92,480 હતી.
વેપારીને શેરબજારમાં પણ મોટો ફટકો પડતા તેમણે સંજય નારણભાઈ જાગાણી, કિરીટ કાળુભાઈ નડીયાદરા, અશોક કોરાટ અને મંગુભાઈ આહીરને 1.40 કરોડ રૂપિયા ચૂકવવાના હતા. આમ ચારેય વ્યાજખોરો દ્વારા વેપારીને પોતાની મિલકત આપવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ બાદ વ્યાજખોરો અવરનવર વેપારીને ધાકધમકી અપતાં હોવાથી તેમણે 6 મહિના ઘરની બહાર રહેવું પડ્યું હતું. અંતે વેપારીએ કંટાળીને ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.