June 24, 2025
Jain World News
Jain DerasarJainism

રાજસ્થાનના ડુંગરપુરનું પ્રાચીન અને ચમત્કારિક દેરાસર શ્રી પુનાલી જૈન તીર્થ

રાજસ્થાનના ડુંગરપુરના પુનાલી ગામમાં શ્રી પુનાલી જૈન તીર્થ આવેલું છે. જેમાં કાળા રંગના શ્રી આદિનાથ ભગવાન પદ્માસનની મુદ્રામાં બિરાજમાન છે. આ દેરાસરનું નિર્માણ 11મી વિક્રમ શતાબ્દી દરમિયાન થયું હોવાના સંદર્ભ મળે છે. જ્યારે વિક્રમ વર્ષ 1657 માં આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારે આ વિશિષ્ટ મૂર્તિને પવિત્ર કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે, જ્યારે દેરાસરનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું તે દરમિયાન દેરાસર અને મૂર્તિ બંનેને નુકસાન થયું હતું. જેના કારણે પ્રાચીન મૂર્તિને બદલવાની આવશ્યકતા ઉભી થઈ હતી.

આ સ્થળ પ્રાચીન હોવાને કારણે પણ એક ચમત્કારિક સ્થળ પણ માનવામાં આવે છે. કેટલાંય જૈન અને બિનજૈન અહીં દર્શન કરવા માટે આવે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. દર મહિને પૂર્ણિમાના સમયે નજીકના ગામના લોકો આ દેરાસરના દર્શન માટે ઉમટી પડે છે. અહીં નજીકમાં પણ અન્ય દેરાસરો પણ આવેલા છે. આમ દર્શનાર્થીઓએ આ દેરાસરોનાં પણ અચૂક દર્શન કરવા જોઈએ.

કેવી રીતે પહોંચવું:

આ દેરાસરથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન ડુંગરપુર 25 કિમી દૂર આવેલું છે. અહીં કાર અને બસો પણ ઉપલબ્ધ છે. આ સાથે આપને જણાવી દઈએ કે ત્યાં રહેવાની  કોઈ વ્યવસ્થા ન હોવાથી દર્શનાર્થઓ રહેવા માટે જાતે વ્યવસ્થા કરવાની રહેશે.

Related posts

જૈન ધર્મના 14માં તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાન

admin

છ ગાઉની યાત્રા | છ ગાઉની પ્રદક્ષિણા કઈ રીતે કરી શકાય

admin

આજનું પંચાંગ અને રાશિફળ, 03/11/2022

admin

Leave a Comment