June 24, 2025
Jain World News
Jain DerasarJainism

સુંદર અને શાનદાર કોતરણીથી બનાવેલું જોધપુરનું શ્રી ચંદન પાર્શ્વ પદ્માવતી તીર્થ

રાજસ્થાનના જોધપુરના સલવાસ રોડ નજીક પદ્માવતી નગર ખાતે ચંદન પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર આવેલું છે. ત્યાં ડાબી બાજુંએ શ્રી પદ્માવતી માતાની મૂર્તિ અને જમણી બાજુએ શ્રી ધરનેન્દ્ર દેવની મૂર્તિ છે. આ દેરાસરમાં મુલનાયક ભગવાનની મૂર્તિ પહેલા માળે છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર શ્રી પદ્માવતી માતાની મોટી મૂર્તિ છે. પદ્માવતી માતા, સરસ્વતી અને લક્ષ્મી માતાની વિવિધ પ્રકારની અનેક મૂર્તિઓ છે. દેરાસર સુંદર હોવાની સાથે સંપૂર્ણ રીતે શાનદાર કોતરણી દ્વારા સફેદ આરસથી બનાવવામાં આવ્યું છે. આમ આ દેરાસર શાંતિપૂર્ણ વાતાવરણ સાથે ખૂબ જ સુઘડ અને સ્વચ્છ છે.

કેવી રીતે પહોંચવું:

રાજસ્થાનનું બીજું સૌથી મોટું શહેર એટલે જોધપુર. જોધપુર એ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. જ્યાં ઘણા મહેલો, કિલ્લાઓ અને મંદિરો તમને જોવા મળશે.જે થાર રણના એકદમ લેન્ડસ્કેપમાં સ્થિત છે. તે રાજસ્થાન અને સમગ્ર ભારતમાં લોકોમાં “બ્લુ સિટી” તરીકે પ્રખ્યાત છે. હેવ વાત કરીએ તો, શ્રી ચંદન પાર્શ્વ પદ્માવતી તીર્થ સુધી પહોંચવા માટે ટ્રેન દ્વારા જઈએ તો જોધપુર રેલવે સ્ટેશનથી આ દેરાસર સુધી પહોંચી શકાશે. આ ઉપરાંત જોધપુર એરપોર્ટ મારફતે જઈને પણ આ દેરાસર સુધી પહોંચી શકાય છે.

Related posts

શ્રીપાળ અને તેમના માતા રસ્તામાં મળ્યાં, શ્રીપાળ કથા – પ્રવચન PART 17

admin

ગોકુળના રક્ષકને બહાનું બતાવી દામન્નકને કેમ પોતાના નગર રાજગૃહ મોકલ્યો? શ્રી દામન્નક કથા 89

admin

જૈન ધર્મના 16માં તીર્થંકર શાંતિનાથ ભગવાન

admin

Leave a Comment