જૈનધર્મના બીજા તીર્થંકર ભગવાન અજિતનાથને ઓળખવામાં આવે છે. જૈન ધર્મનાં ચોવિસ તીર્થંકરમાંથી ભગવાન ઋષભદેવ પછી ભગવાન અજિતનાથ બીજા તીર્થંકર હતાં. હાથીને અજિતનાથનું પ્રતિક માનવામાં આવે છે. જૈન ગ્રંથો અનુસાર, એવું માનવામાં આવે છે કે, ચોથા યુગની શરૂઆત થઈ ત્યારે તેમનો જન્મ થયો હતો. આમ તે યુગમાં આયુષ્ય ખૂબ લાંબુ અને શરીરની ઊંચાઈ ઘણી મોટી હતી. દરેક વ્યક્તિમાં અપાર શક્તિ સમાયેલી હોય છે. જેની પ્રાપ્તિ માટે માનવી પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ. આમ કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ કરનાર તમામ તીર્થંકરો પુરુષ જ હતાં.
અજિતનાથ નામ પાછળનું કારણ :
ભગવાન અજિતનાથે ક્રોધ, અભિમાન, કપટ અને લોભ જેવા તમામ કષો પર વિજય મેળવ્યો હોવાથી તેમને અજિતનાથ તરીકે ઓળખવામાં આવે છે. અજિતનાથનાં પિતાનું નામ જિતશત્રુ અને માતાનું નામ વિજયાદેવી હતું. આમ અજિતનાથના માતા-પિતાનાં નામમાં વિજયની પ્રતિતિ થતી જોવા મળી છે. ભગવાન અજિતનાથ પાસે 90 ગાંધાર (તીર્થંકરના મુખ્ય શિષ્યો) હતાં. અજિતનાથનાં પ્રથમ મુખ્ય શિષ્ય સિંહસેન હતાં.
પ્રખ્યાત શિક્ષક આનંદગંજી મહારાજે શુદ્ધ મનથી અજિતનાથ ભગવાનના ગુણગાન ગાયા છે, “હે ભગવાન, તમે ક્રોધ, અભિમાન, કપટ અને લોભ પર વિજય મેળવ્યો છે. અને તેથી જ તમને અજિત કહેવામાં આવે છે – ‘સૌથી મહાન માનવ;’ જ્યારે મારો ક્રોધ, અભિમાન, કપટ અને લોભ મારા પર જીતી ગયા છે. તેથી, હું પુરુષ કહેવા માટે પણ સક્ષમ નથી.”
એવો નિયમ છે કે વર્તમાનમાં જેનું જીવન જેટલું ઉચ્ચ હશે, એની પૂર્વજન્મની સાધના પણ એટલી જ ઉચ્ચ રહી હશે, જૈન ધર્મના બીજા તીર્થંકર ભગવાન શ્રી અજિતનાથની પૂર્વજન્મની સાધના પણ એવી જ ઉત્કૃષ્ટ અને અનુ ણીય હતી. એમના પૂર્વભવોનું વર્ણન આ પ્રકારે છે : જમ્બુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં સીતા નામની એક મહાનદીના દક્ષિણી તટે એક અતિ સમૃદ્ધ તથા પરમ રમણીય વત્સ નામક એક વિજય છે. ત્યાં સુસીમા નામની એક અતિ સુંદર નગરી હતી. વિમલવાહન નામક મહાપ્રતાપી, ન્યાયપ્રિય, ધર્મપરાયણ અને શાસકના યોગ્ય શ્રેષ્ઠ ગુણોથી સંપન્ન રાજા ત્યાં રાજ્ય કરતા હતા. તે ભોગોથી અલિપ્ત હતા તથા રાજકીય સુખો પ્રત્યે અનાસક્ત હતા. લોકોમાં દાનવીર અને દયાનિધાનના રૂપમાં એમની ખ્યાતિ હતી.
સુખપૂર્વક રાજ્ય કરતા રાજા વિમલવાહન એક દિવસ આત્મ નિરીક્ષણ કરતા-કરતા વિચારવા લાગ્યા કે – ‘માનવજીવન મેળવી પ્રાણીએ શું કરવું જોઈએ ? આ સંસારમાં જન્મ, જરા, મરણરૂપી કાળ ચક્રનું ન કોઈ આદિ છે, ન કોઈ અંત. ચોર્યાસી લાખ જીવયોનિઓમાં માનવયોનિ એકમાત્ર એવી યોનિ છે, જેમાં પ્રાણી સાધના-પથ ઉપર અ ગ્રેસર થઈ સાંસારિક દુઃખોથી મુક્ત થઈ શકે છે. મારે પણ આ પાશમાંથી મુક્ત થવા માટેનો સ્વર્ણિમ અવસર પ્રાપ્ત થયો છે. આ માનવજીવનની એક-એક ક્ષણ અમૂલ્ય છે. જે અનંત મૂલ્યવાન સમય નીકળી ગયો, એના માટે હાથ ઘસીને પસ્તાવો કરવાથી કંઈ મળવાનું નથી, પણ હવે જે જીવન શેષ રહ્યું છે, એનાથી અધિકાધિક આધ્યાત્મિક લાભ ઉઠાવવો મારા માટે પરમ હિતકર રહેશે.’
ચ્યવન અને ગર્ભ-કલ્યાણક :
જમ્બુદ્રીપના ભરતખંડમાં વિનીતા નામની નગરી હતી. ત્યાં ભગવાન ઋષભદેવના ઇક્ષ્વાકુ વંશમાં અસંખ્ય રાજાઓના રાજ્ય થયા પછી જિતશત્રુ નામક એક મહાન પ્રતાપી અને ધર્મનિષ્ઠ રાજા થયા. એમની મહારાણીનું નામ વિજયા હતું. મહારાણી વિજયા સર્વગુણસંપન્ન, સર્વાંગસુંદરી, રૂપ લાવણ્યયુક્ત, ધર્મનિષ્ઠ વિદુષી અને પતિવ્રતા નારી હતી. રાજદંપતી ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરીને ઉત્તમ સાંસારિક સુખોનો ઉપભોગ કરીને શ્રમણોપાસક ધર્મનું સુચારુ રૂપે પાલન કરતાં હતાં.
ઋષભદેવના નિર્વાણથી લગભગ ૭૧ લાખ પૂર્વ ઓછા ૫૦ લાખ કરોડ સાગર પશ્ચાતુ વિમલવાહનનો જીવ વિજય નામક અનુત્તર વિમાનના દેવની ૩૩ સાગરોપમ આયુ પૂર્ણ થતા વૈશાખ શુક્લ ત્રયોદશી (તેરશ)ની રાત્રિએ રોહિણી નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ થવાથી મતિ, શ્રુતિ અને અવિધ જ્ઞાનથી યુક્ત ચિત્રા નક્ષત્રમાં જ વિજય વિમાનમાંથી અવન કરી મહારાજ જિતશત્રુની મહારાણી વિજયાદેવીના ગર્ભમાં પ્રવિષ્ટ થયો. એ જ રાત્રિના અંતિમ પ્રહરમાં મહારાણી વિજયાદેવીએ અર્ધસુપ્ત-અર્ધ-જાગૃત અવસ્થામાં ચૌદ મહાસ્વપ્ન જોયાં. મહારાણી પરમ પ્રમુદિત (આનંદિત) થઈ પોતાના સ્વપ્નની વાત મહારાજ જિતશત્રુને સંભળાવી. મહારાજા જિતશત્રુ પણ હર્ષવિભોર થયા. એમણે કહ્યું કે “આપણને મહાપ્રતાપી જગતવંઘ પુત્રની પ્રાપ્તિ થશે.”