પાલીતાણા તળેટીથી આશરે 10 કિ.મી દૂર આવેલાં આ સ્થળનો મુલાકાત લેવી ખૂબ જ આવશ્યક છે. ત્યાંનો અદભૂત નજારો દર્શનાર્થીઓ માટે આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. પાલીતાણાનાં રોહિશાળા જૈન તીર્થ ખાતે આવેલાં શ્રી આદિનાથ ભગવાનનાં ચાલો દર્શન કરીએ.
પાલીતાણા તળેટીથી આશરે 10 કિમી દૂર :
આ સ્થળ પાલીતાણા તળેટીથી આશરે 10 કિમી દૂર છે. જે મુખ્યત્વે શત્રુંજય નદી ખાતે સંધ્યા આરતી માટે પ્રખ્યાત છે. નદીની સામે આરતી સાથેનો અલગ જ માહોલ જોવા મળે છે. જેમાં સેંકડો લોકો દિવો લહેરાવે છે અને સ્પીકર્સ પર આરતી વગાડવામાં આવે છે. આરતીનો મુખ્યત્વે સમય સૂર્યાસ્ત પહેલાં જ શરૂ થાય છે. આમ તેનો અલગ અલગ સિઝન માટે અલગ અલગ સમય હોતો હોય છે. અહીંનો સૂર્યાસ્ત સમયનો અદભૂત નજારો મન મોહી લે તેવો હોય છે.
રોહીશાળા એ ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલું ગામ છે. ભાવનગરથી દક્ષિણ તરફ 56 કિમી દૂર આવેલાં રોહીશાળા નજીકનાં શહેરોમાં પાલીતાણા, તળાજા, સિહોર, મહુવા આવેલા છે. રોહીશાળાથી નજીકનું રેલવે સ્ટેશન પાલીતાણા આવેલું છે.
રોહીશાળા જૈન તીર્થ ખાતે ત્રણ આરતી કરવામાં આવે છે :
આ જૈન મંદિર શંત્રુંજય નદીની સામે છે. આમ તે પાલીતાણા નજીક તાજેતરમાં વિકસિત જગ્યામાની એક છે. દરરોજ સાંજે ઘાટ પર આરતી કરવામાં આવે છે. કુલ ત્રણ પ્રકારે આરતી કરવામાં આવે છે. જેમાં એક ગિરનાર, બીજી આદિનાથ દાદા અને ત્રીજી શેત્રુંજય નદીની આરતી કરવામાં આવે છે. શેત્રુંજય નદીની આરતી કરવા માટે લોકોએ દિવા પ્રગટાવાનો હોય છે.
રહેવા જમવાની સાથે વિશેષ સુવિધા :
પાલીતાણાનાં રોહિશાળા જૈન તીર્થ ખાતે આવેલાં શ્રી આદિનાથ ભગવાનનાં દર્શનાર્થે આવતાં લોકો માટે રહેવા જમવાની સાથે દરેક વસ્તુની સગવડ ઉપલબ્ધ છે. આમ આ સ્થળ ફોટોહોલિક અને પ્રકૃતિ પ્રેમી માટે ખૂબ જ પ્રખ્યાત છે. આમ પાલીતાણામાં હોય ત્યારે સ્થળની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.
જૈન દેરાસરની વિશેષતા :
આ દેરાસર ખૂબ જ સુંદર અને સંપૂર્ણ રીતે સફેદ આરસપહાણથી બનેલું છે. દેરાસરની અંદરની અને બહારની દિવાલો પુલર અને ગુંબજ ખૂબ જ સારી રીતે કોતરવામાં આવી હોવાથી અતિ સુંદર દેખાવ આપે છે. જેને સુઘડ અને સ્વચ્છ પણ ખૂબ જ સારી રીતે જાળવવામાં આવે છે. અહીં ભોજનશાળા અને ધર્મશાળાની સુવિધાઓ ઉપલબ્ધ છે.