30 સપ્ટેમ્બરથી Ahmedabadમાં Metro Trainનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તેવામાં Ahmedabadનાં ખરાબ રોડ રસ્તાને રીપેર કરવાની તૈયારી Metro Train વિભાગે દાખવી.
અમદાવાદમાં 30 સપ્ટેમ્બરથી Metro Train શરૂ થવા જઈ રહી છે. ત્યારે Metro Train દ્વારા અમદાવાદ શહેરના રોડ-રસ્તા રીપેર કરવા અંગેની તૈયારી દાખવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીની Metro Trainનો પ્રારંભ કરાવવા જઈ રહ્યાં છે. ત્યારે આગામી દિવસોમાં વડાપ્રધાન આવવાના હોવાથી હવે Metro રૂટના રોડ રસ્તા રીપેર કરવા તંત્ર દ્વારા કવાયાત હાથ ધરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી મેટ્રો વિભાગ આ રોડ રસ્તાની બદતર હાલત નજરે ચડતી ન હતી. પરંતુ વડાપ્રધાનના આવવાના હોવાથી Metro વિભાગે ખરાબ રોડ રસ્તાની હાલત સુધારવાની તૈયારી બતાવી હતી. અમદાવાદ મનપા અને મેટ્રોના સંકલનના અભાવને કારણે પ્રજાને હાલાકી પડી રહી છે પરંતુ હવે પી.એમ.ના આગમનને લઇ Metro હરકતમાં આવ્યું છે અને Metro રૂટના રોડ રીપેર કરવા બાંહેધરી આપવામાં આવી છે.