PM Narendra Modi ના માતા હીરાબાની તબિયત લથડતા અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. પ્રધાનમંત્રી Narendra Modi ગઈ કાલે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ સાથે હોસ્પિટલમાં PM મોદી સહિત પરિવારના સભ્યોમાં PM મોદીના ભાઈ પંકજભાઈ મોદી, સોમાભાઇ મોદી સહિતના પરિવાજનો પણ હતા.
ત્યારે હીરાબાની તબિયતમાં સુધારો થવાના સારા સમાચાર સામે આવ્યા છે. હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. હવે આગામી એકાદ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હીરાબાના ખબરઅંતર પૂછ્યા :
CM Bhupendra Patel યુ.એન. મહેતા હોસ્પિટલ હીરાબાના ખબરઅંતર પૂછવા ફરીથી આજે સવારે પહોંચ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારા થતાં તેમણે હવે એકાદ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.