-
700થી વધુ મહિલા અને 25 સાધ્વીજી મહારાજ ઉપસ્થિત રહ્યા | Palitana Shatrunjay
-
શ્રી નૂતન શ્રાવિકા ઉપાશ્રય (નવકાર સંઘ) દ્વારા ‘એક કદમ ગિરિરાજ કી રક્ષા કી ઓર’ કાર્યક્રમ યોજાયો
-
કાર્યક્રમમાં એન્કરની ભૂમિકામાં વિધિબેન શાહ અને સંગીતસભાના સિંગર વંદિતાબેન શાહ રહ્યા હતા
Jain World News | Palitana Shatrunjay ના જૈન દેરાસરની ઘટના લઈને સમગ્ર જૈન સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. મહાતીર્થ શત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળામાં પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને અજાણ્યા શખ્સોએ ખંડિત કર્યા હતાં. તેને લઈને પાલિતાણા સહિત અનેક જગ્યાએ જૈન સમાજની મીટિંગ અને રેલી યોજાઈ હતી. ત્યારે અમદાવાદના વાસણામાં આવેલા શ્રી નૂતન શ્રાવિકા ઉપાશ્રય(નવકાર સંઘ) ખાતે પાલિતાણાની સ્થિતિની ગંભીરતા બાબતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 700થી વધુ મહિલા કાર્યક્રમમાં જોડાઈને ભજનમંડળી થકી પાલિતાણાની ઘટનાની ગંભીરતા બાબતે શાંતીપૂર્ણ રીતે વિરોધ કર્યો હતો.
અમદાવાદના વાસણા ખાતે આવેલા શ્રી નૂતન શ્રાવિકા ઉપાશ્રય (નવકાર સંઘ) દ્વારા એક કદમ ગિરિરાજ કી રક્ષા કી ઓર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શત્રુંજય મહાતીર્થ રક્ષા સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 700થી વધુ મહિલા અને 25 જેટલાં સાધ્વીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. જેમા પાલિતાણાની હાલની ઘટનાની ગંભીરતા વિશે ચર્ચા કરવાની સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો.
પાલિતાણા શત્રુંજય મહાતીર્થમાં આવેલ રોહીશાળામાં આદિનાથ દાદાના પગલા ખંડિત કરવામાં આવ્યા હતા. તેને લઈને પાલિતાણા સહિત ઠેર-ઠેર જૈન સમાજની મીટિંગ અને મહારેલી યોજાઈ હતી. ત્યારે અમદાવાદના વાસણામાં આવેલા શ્રી નૂતન શ્રાવિકા ઉપાશ્રય(નવકાર સંઘ) ખાતે પાલિતાણાની સ્થિતિની ગંભીરતા બાબતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 18થી 50 વર્ષના 700થી વધુ મહિલા કાર્યક્રમમાં જોડાઈને ભજનમંડળી થકી પાલિતાણાની ઘટનાની ગંભીરતાને સમજી શાંતીપૂર્ણ રીતે વિરોધ કર્યો હતો. આ સાથે કાર્યક્રમમાં 25 જેટલાં સાધ્વીજી મહારાજ ઉપસ્થિતિ રહ્યાં હતાં. જેમા સાધ્વીજીએ પાલિતાણાની ઘટના વિશે ઉપસ્થિતિ મહિલાઓને માર્ગદર્શન આપવાની સાથે શત્રુંજયની ઘટનાને લઈને તેમની માંગણી સંતોષવામાં આવી તેવી માંગ કરી હતી.