ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળની શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. તેવામાં મંત્રીમંડળના શપથ માટે ધારાસભ્યોને ફોન આવ્યા હતા. જેમાં મંત્રીમંડળમાં સમાવેશ કરવા ધારસભ્યોને ફોનિક જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, આજે શપથવિધિ સમારોહમાં 16 મંત્રીઓ શપથ લેશે. આ સાથે હાલ 18 લોકોને ટેલિફોનિક જાણ કરાઈ છે. જેમાં 8 કેબિનેટ મંત્રી તરીકે, 8 રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ લેશે. ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળની શપથવિધિનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. ત્યારે ગઇ કાલે રાત્રે જ PM અમદાવાદ ખાતે આવી ગયા હતા. મંત્રીમંડળના શપથવિધિ કાર્યક્રમમાં PM મોદી, અમિત શાહ સહિત 7 રાજ્યોના CM હાજર રહેશે.
શપથવિધિ માટે 20 ચાર્ટર્ડ સહિત ફ્લાઇટમાં VVIPની અવરજવર રહેશે. રવિવારના રોજ ખુદ ગૃહમંત્રી અમિત શાહ અને આસામના CM પણ આવી ગયા હતા. શપથવિધિમાં 7 રાજ્યોના CM ચાર્ટર્ડ લઇને આવશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ શપથવિધિમાં હાજર રહેશે. CM યોગી આદિત્યનાથ અને હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના CM પ્રમોદ સાવંત, કર્ણાટકના CM બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના CM તેમજ ઉત્તરાખંડના CM પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં હાજર રહેશે.
મંત્રીમંડળના શપથ માટે આ ધારાસભ્યોને ફોન આવ્યા હતા :
મંત્રીમંડળના શપથ માટે ધારાસભ્યોને ફોન આવ્યા હતા. જેમાં ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળીયા, ભાનુબેન બાબરીયા, કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપૂત, બચુ ખાબડ, જગદીશ પંચાલ, ભીખુસિંહ પરમાર, મુકેશ પટેલ, હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરાશે. શપથવિધિ બાદ કેબીનેટની બેઠકમાં ખાતાની પણ ફાળવણી કરવામાં આવશે.