June 24, 2025
Jain World News
GujaratOther

Surendranagar નાં પીપળીધામ ખાતે 400થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યાં

  • પીપળીધામ ગામના વતની કીરીટભાઈ સાદરીયાએ માતા-પિતાના સ્મરણાર્થે વૃક્ષારોપણ કર્યુ આયોજન

  • રાજકોટના રહેવાસી હિંમતભાઈ પારેજીયા સહિત ગામના લોકો વૃક્ષારોપણમાં સહભાગી બન્યાં

સુરેન્દ્રનગરના પીપળીધામ ખાતે 400થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યાં. પ્રકૃતિ પ્રેમી દિકરાએ પોતાના માતા-પિતાના સ્મરણાર્થે ગામમાં વૃક્ષારોપણ કર્યુ હતું. ત્યારે ગ્રામજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લઈને વૃક્ષારોપણ કર્યું હતું. આમ પીપળીધામના ગ્રામજનોએ વૃક્ષારોપણ કરીને પ્રકૃતિનું જતન કરવાની પ્રવૃતિ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળીધામ ગામના વતની કીરીટભાઈ સાદરીયાએ તેમના માતા રંભાબહેન તથા પિતા ગોવિંદભાઈ નાનજીભાઈ સાદરીયાના પુણ્ય સ્મરણાર્થે ગામમાં વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં લીમડો, પીપળો, ઉમરો, ગુલમોર, બોરસલી, વડ વગેરે જેવા 400થી વધુ અલગ અલગ વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. તેમજ ગામલોકોને રોપાનું વિતરણ કરવાની સાથે વૃક્ષની જાળવણી માટે જાળી મુકાવામાં આવી હતી. પર્યાવરણ જાળવણીના આ કાર્યમાં ગ્રામજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વૃક્ષારોપણ કર્યું હતું. સાથે સાથે ગ્રામજનોએ વૃક્ષોના ઉછેરની પણ જવાબદારી સ્વીકારી હતી. વૃક્ષારોપણના કાર્યક્રમમાં રાજકોટના રહેવાસી હિંમતભાઈ પારેજીયા સહિત ગામના રહેવાસી લક્ષ્મણભાઈ, વાસુદેવભાઈ, રામજીભાઈ, રમેશભાઈ, અશોકભાઈ, ભરતભાઈ વગેરે લોકો વૃક્ષારોપણમાં સહભાગી બની વૃક્ષારોપણ કર્યું હતું.

Related posts

Vadodara માં 1258 જેટલા MoU કરી મતદારોને પ્રોત્સાહન આપવાની પહેલ

admin

વલ્લભીપુર નગરપાલિકા તંત્રની આતો કેવી કામગીરી? એક વોર્ડમાં સફાઈ ને બીજામાં ગંદકીનો ગરકાવ

admin

વાડીયા ગામની 30થી વધુ દિકરીઓને ભણાવીને ગામની તસવીર બદલવાની સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન દ્વારા પહેલ

admin

Leave a Comment