April 20, 2025
Jain World News
GujaratOther

Surendranagar નાં પીપળીધામ ખાતે 400થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યાં

  • પીપળીધામ ગામના વતની કીરીટભાઈ સાદરીયાએ માતા-પિતાના સ્મરણાર્થે વૃક્ષારોપણ કર્યુ આયોજન

  • રાજકોટના રહેવાસી હિંમતભાઈ પારેજીયા સહિત ગામના લોકો વૃક્ષારોપણમાં સહભાગી બન્યાં

સુરેન્દ્રનગરના પીપળીધામ ખાતે 400થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યાં. પ્રકૃતિ પ્રેમી દિકરાએ પોતાના માતા-પિતાના સ્મરણાર્થે ગામમાં વૃક્ષારોપણ કર્યુ હતું. ત્યારે ગ્રામજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક તેમાં ભાગ લઈને વૃક્ષારોપણ કર્યું હતું. આમ પીપળીધામના ગ્રામજનોએ વૃક્ષારોપણ કરીને પ્રકૃતિનું જતન કરવાની પ્રવૃતિ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળીધામ ગામના વતની કીરીટભાઈ સાદરીયાએ તેમના માતા રંભાબહેન તથા પિતા ગોવિંદભાઈ નાનજીભાઈ સાદરીયાના પુણ્ય સ્મરણાર્થે ગામમાં વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં લીમડો, પીપળો, ઉમરો, ગુલમોર, બોરસલી, વડ વગેરે જેવા 400થી વધુ અલગ અલગ વૃક્ષો રોપવામાં આવ્યાં હતાં. તેમજ ગામલોકોને રોપાનું વિતરણ કરવાની સાથે વૃક્ષની જાળવણી માટે જાળી મુકાવામાં આવી હતી. પર્યાવરણ જાળવણીના આ કાર્યમાં ગ્રામજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈને વૃક્ષારોપણ કર્યું હતું. સાથે સાથે ગ્રામજનોએ વૃક્ષોના ઉછેરની પણ જવાબદારી સ્વીકારી હતી. વૃક્ષારોપણના કાર્યક્રમમાં રાજકોટના રહેવાસી હિંમતભાઈ પારેજીયા સહિત ગામના રહેવાસી લક્ષ્મણભાઈ, વાસુદેવભાઈ, રામજીભાઈ, રમેશભાઈ, અશોકભાઈ, ભરતભાઈ વગેરે લોકો વૃક્ષારોપણમાં સહભાગી બની વૃક્ષારોપણ કર્યું હતું.

Related posts

11 વર્ષની બાળકીથી માંડી 75 વર્ષનાં વૃદ્ધા મળીને 8 લાખ 50 હજાર રંગબેરંગી બબલ વ્રેપથી તૈયાર કર્યુ અદભૂત પેઈન્ટિંગ

admin

143 વર્ષ પહેલા Morbi નાં રાજાએ મચ્છુ પરનો ઝૂલતો પુલ બંધાયેલો, જાણો Morbi પુલની કહાની

Sanjay Chavda

પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે AMTS ની 250 બસની ફાળવણી, માત્ર ₹10 ભાડું

admin

Leave a Comment