June 24, 2025
Jain World News
Crime NewsFeaturedGujaratOther

મોરબી રફાળેશ્વરના 4.4 કિલો ગાંજાના બંને આરોપીઓના ડિસ્ટ્રીક્ટ કોર્ટે જામીન મંજુર કર્યા

મોરબી
  • મોરબી નાં યુવા વકિલ જે. ડી. સોલંકી અને સુરેન્દ્રનગરના યુવા વકિલ હિતેશ પી. ચાવડા દ્વારા જામીન અરજી કરાયેલી

મોરબી પોલીસે 08 ફેબ્રુઆરીના રોજ રફાળેશ્વર માંથી 4.4 કિલો ગાંજો મળી કુલ રૂ.53,300 ના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડ્યા હતાં. આ કેસમાં આરોપીના ત્રણ દિવસના રીમાંડ પૂરા થતા જ્યુડી. કસ્ટડીમાં જેલ હવાલે કર્યા હતા. ત્યારે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના વકિલ દ્વારા આરોપીના જામીન મેળવવા માટે અરજી કરતા ડિસ્ટ્રીક્ટ કોર્ટે જામીન મંજુર કર્યા હતા.

પોલીસ ફરિયાદ પ્રમાણે, મોરબીના રફાળેશ્વર ગામના રહેવાસી અમૃતભારથી કાનભારથી ગોસાઈ અને બાબુભાઈ પાલાભાઈ રાઠોડ એ પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખ્યો હતો. બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી પકડી પાડી નારકોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ 8(સી) અને 20(બી) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આરોપીને ત્રણ દિવસના રીમાંડ બાદ જેલ હવાલે કર્યા હતા.

મોરબી જિલ્લાના યુવા વકિલ જે. ડી. સોલંકી અને સુરેન્દ્રનગરના યુવા વકિલ હિતેશ પી. ચાવડા
મોરબી જિલ્લાના યુવા વકિલ જે. ડી. સોલંકી અને સુરેન્દ્રનગરના યુવા વકિલ હિતેશ પી. ચાવડા

બંને આરોપીના જામીન મંજુર થાય તે માટે Morbi ના યુવા વકિલ જે. ડી. સોલંકી અને સુરેન્દ્રનગરના યુવા વકિલ હિતેશ પી. ચાવડા દ્વારા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. ત્યારે ડિસ્ટ્રીક્ટ કોર્ટે બંને આરોપીની જામીન મંજુર કર્યા હતા.

આ પણ વાંચો : 143 વર્ષ પહેલા Morbi નાં રાજાએ મચ્છુ પરનો ઝૂલતો પુલ બંધાયેલો, જાણો Morbi પુલની કહાની

Related posts

Sanathal Overbridge નું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ, અમદાવાદ રિંગ રોડ ટ્રાફિક સમસ્યા હલ થશે

admin

વલ્લભીપુર નગરપાલિકા તંત્રની આતો કેવી કામગીરી? એક વોર્ડમાં સફાઈ ને બીજામાં ગંદકીનો ગરકાવ

admin

ગુજરાત યુનિવર્સિટી અને ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે VISION GPSC કાર્યક્રમનું આયોજન

admin

Leave a Comment