આપણો હસતો ચહેરો ક્યારેક કોઈકના ચહેરા પર સ્મિત લાવી બેસે છે. ક્યારેક આપણે કોઈ અજાણ્યા વ્યક્તિ જે કોઈ વિચારોમાં ખોવાયેલા હોય અને ઉદાસ હોય તેમની સામે નજર કરીને સ્માઈલ કરતા એ વ્યક્તિ પણ સ્માઈલ કરીને પળભર માટે તેના ચહેરા પર સ્મિત વર્તાય છે. આ એક હસતો ચહેરા ક્યારેક કોઈ અજાણ્યા વ્યક્તિ પર સ્મિત લાવી શકે છે.
જીવનની સૌથી મોટી મૂડી કહિંયે તો એ છે ખુશ રહેવું. દરેક વ્યક્તિની જીવન જીવવાની રીત અલગ અલગ હોય છે. જેમાં તેઓ વિવિધ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતાં હોય છે. તેવામાં કેટલાંક પોતાના કામથી ખૂબ જ આરામ અને ખુશી અનુભવતા હોય છે. ત્યારે અમુકની સ્થિતિ વિપરીત જોવા મળે છે. આ પળમાં વ્યક્તિ પોતાના કાર્યથી સંતોષ ન અનુભવે તો બધુ જ વ્યર્થ છે. આ બાબતે ભગવાન Mahavira નાં શું વિચારે છે તે જાણીએ.

ભગવાન મહાવીરે સુખનો સાચો માર્ગ દર્શાવતાં કહ્યું કે, બીજાઓનું દમન કરવાને બદલે પહેલાં પોતાની જાતનું જ દમન કરવું જોઈએ. પોતાની જાતના દમનથી પોતે જાતે જ ઈન્દ્રેયોના વિજેતા બનવાથી બધાનું દમન થઈ જાય છે. આમ તેના ફળ સ્વરૂપે સુખની પ્રાપ્તી થાય છે. આમ જેણે પોતાની જાતનું દમન કર્યું છે એનું દમન કોઈપણ વ્યક્તિ મારઝૂડ કરીને કે એનો વધ કરીને નથી કરી શકતી. એટલાં ભગવાન Mahavira કહે છે કે, પહેલાં પોતાની જાતને સંયમી અને તપસ્વી બનાવો આપ વિજયી બનશો.