April 18, 2025
Jain World News
FeaturedJain Tirthankara

Tirthankara | જૈન ધર્મમાં ચોવિસ તીર્થંકરોના નામ કઈ રીતે પડ્યા, જાણો રહસ્ય

પ્રથમ તીર્થંકર

Tirthankara | જૈન ધર્મમાં ચોવિસ તીર્થંકરો થયા. દરેક તીર્થંકર ભગવાનના નામ રાખવા પાછળ રહસ્ય છુપાયેલા છે. જેના વિશેની માહિતી ભાગ્યે જ કોઈ વ્યક્તિ પાસે હશે. ત્યારે આપણે આજે જૈન ધર્મના ચોવિસ તીર્થંકરોના નામ કઈ રીતે પડ્યા અને આ નામ રાખવા પાછળનું કારણ શું છે તે જાણીએ.

(1) શ્રી ઋષભદેવ પ્રભુ

પ્રથમ તીર્થંકર
પ્રથમ તીર્થંકર

સાથળમાં વૃષભનું ચિહ્ન હતું. ચૌદ સ્વપ્નમાં માતા મરૂદેવાએ પ્રથમ સ્વપ્ને વૃષભને જોયો. તથા 18 કોડાકોડિ સાગરોપમ પછી કે પહેલા ધર્મની શરૂઆત કરી તેથી આદિનાથ પણ કહેવાય છે.

(2) શ્રી અજિતનાથ પ્રભુ

બીજા તીર્થંકર
બીજા તીર્થંકર

માતા વિજયારાણી પિતા જિતશત્રુની સાથે સોગઠા બાજીમાં રમતા રાણી રાજાને જીતવા જ લાગી હાર્યા નહિં. તેમ રાગાદિ શત્રુઓને પણ પ્રભુએ જીતી લીધા.

(3) શ્રી સંભવનાથ પ્રભુ

ત્રીજા તીર્થંકર
ત્રીજા તીર્થંકર

પ્રભુનો જન્મ થવાથી સર્વત્ર ધન-ધાન્ય પેદા થવા લાગ્યું-અછત-દુષ્કાળ નષ્ટ થયો અને સારાં લક્ષણોનો સંભવ છે માટે સંભવનામ પડ્યું.

(4) શ્રી અભિનંદન પ્રભુ

ચોથા તીર્થંકર
ચોથા તીર્થંકર

પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારથી ઈન્દ્રદેવ વારંવાર આવીને સ્તુતિ કરવા લાગ્યા અને કુળ નગરી રાજ્ય – સર્વ લોકો હર્ષ પામ્યા અભિનંદન આપવા લાગ્યા.

(5) શ્રી સુમતિનાથ પ્રભુ

પાંચમા તીર્થંકર
પાંચમા તીર્થંકર

માતાને એકવાર વિષમ ઘટનાનો ચુકાદો આપવામાં બુદ્ધિ સારી ઉપજી ઝઘડો શાંત થયો.

(6) શ્રી પદ્મપ્રભ સ્વામી પ્રભુ

છઠ્ઠા તીર્થંકર
છઠ્ઠા તીર્થંકર

માતાને કમલ પત્રમાં સુવાની ઈચ્છા થઈ અને પ્રભુ કમળની જેમ નિર્લેપ નિર્મોહ બન્યા.

(7) શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ

સાતમા તીર્થંકર
સાતમા તીર્થંકર

માતાનાં બંને પડખા રોગથી વ્યાપ્ત હતાં પણ ઉદરમાં પધારતાં જ નિરોગી બન્યા સુવર્ણમય દેખાયા.

(8) શ્રી ચંદ્રપ્રભ સ્વામી

માતાને ચંદ્રના કિરણોનું રસપાન કરવાની ઈચ્છા થઈ અને શીતલતાનો અનુભવ થયો.

(9) શ્રી સુવિધિનાથ પ્રભુ

આઠમા તીર્થંકર
નવમા તીર્થંકર

ગર્ભમાં શુભ ક્રિયાઓ કરવાના ભાવ થયા અને પ્રભુજી શુભ ક્રિયા કરનારા થયા.

(10) શ્રી શીતલનાથ પ્રભુ

દસમા તીર્થંકર
દસમા તીર્થંકર

પિતાજીનો દાહજવર, માતાના હસ્ત સ્પર્શથી શાંત થઈ ગયો અને જગતના ત્રિવિધ તાપને પણ શાંત કર્યા.

(11) શ્રી શ્રેયાંસનાથ પ્રભુ

11માં તીર્થંકર
11માં તીર્થંકર

કોઈક દેવસ્થાપિત શય્યાની પૂજા થતી પણ કોઈ ઉપભોગ ન કરી શકે માતાએ ઉપભોગ કરી તો પણ ગર્ભ પ્રભાવે કંઈ ન થયું ઉપરથી જગતનું કલ્યાણ થયું.

(12) શ્રી વાસુપૂજ્ય પ્રભુ

12માં તીર્થંકર
12માં તીર્થંકર

ઈન્દ્રે આવી વારંવાર રત્ન (ધન) ની વર્ષા કરી, અને પિતા વાસુદેવ ઉપરથી વાસુપૂજ્ય નામ પાડ્યું.

(13) શ્રી વિમલનાથ પ્રભુ

13માં તીર્થંકર
13માં તીર્થંકર

માતાના તન-મન ગર્ભથી નિર્મળ થયા અને પ્રભુએ વિમલ બુદ્ધિથી કર્મ મળનો નાશ કર્યો.

(14) શ્રી અનંતનાથ પ્રભુ

14માં તીર્થંકર
14માં તીર્થંકર

માતાએ અનંત મણિ રત્નોની સ્વપ્નમાં માળા જોઈ અને અનંતગાંઠના દોરા કરી બાંધ્યા, લોકોના તાવ વગેરે દૂર થયું. પ્રભુએ રત્નત્રયીની અનંત આરાધના કરી. Tirthankara

(15) શ્રી ધર્મનાથ પ્રભુ

15માં તીર્થંકર
15માં તીર્થંકર

માતા વધારે ધર્મ ઉપર પ્રીતિ – પ્રેમવાળા થયા પ્રભુને ધર્મનો સહજ સ્વભાવ હતો.

(16) શ્રી શાંતિનાથ પ્રભુ

16માં તીર્થંકર
16માં તીર્થંકર

દેશમાં રહેલા સર્વ રોગો ઉપદ્રવો ગર્ભસમયે દૂર થયાં, સર્વત્ર શાંતિ ફેલાઈ.

(17) શ્રી કુંથુનાથ પ્રભુ

17માં તીર્થંકર
17માં તીર્થંકર

સ્વપ્નમાં રત્નનો મોટો સ્તૂપ (થાંભલો) જોયો, શત્રુઓ કુંથુ જેવા નાના થઈ ગયા અને નાના નાના સૂક્ષ્મ જીવોની જયણા દેશમાં પ્રવર્તી.

(18) શ્રી અરનાથ પ્રભુ

18માં તીર્થંકર
18માં તીર્થંકર

સ્વપ્નમાં રત્નમય ચક્ર (આરો) તથા સ્તૂપ જોયા, અને વંશની વિશેષ વૃદ્ધિ થઈ. Tirthankara

(19) શ્રી મલ્લિનાથ પ્રભુ

માતાએ છે ઋતુના ફૂલોની શય્યામાં સુવાનો દોહદ, દેવોએ પૂર્ણ કર્યો તથા પ્રભુએ મોહાદિ મલ્લો જીત્યા હોવાથી.

(20) શ્રી મુનિસુવ્રત સ્વામી

માતાને ઉત્તમ વ્રતો પાલન કરવાની ઈચ્છા થઈ, અને બાર વ્રતો પાલન કરવા લાગ્યા.

(21) શ્રી નમિનાથ પ્રભુ

માતાને કિલ્લા ઉપર ફરતા જાઈને શત્રુઓ માતાનું તેજ સહન કરી શક્યા નહિ, નમી ગયા અને પ્રભુએ પણ રાગ-દ્વેષને નમાવી દીધેલા.

(22) શ્રી નેમિનાથ પ્રભુ(અરિષ્ટ)

માતાએ સ્વપ્નમાં અરિષ્ટ-કાળારત્નને જોયું, ઉજળતું ચક્ર જોયું, અને પ્રભુ કર્મનો નાશ કરવામાં ધર્મ ચક્રની ધારા સમાન હોવાથી.

(23) શ્રી પાર્શ્વનાથ પ્રભુ

રાજાની શય્યા પાસેથી માતાએ સર્પને ડસ્યા વિના જતો જોયો.

(24) શ્રી વર્ધમાન (મહાવીર) સ્વામી

રાજ્ય ભંડારમાં ધન-ધાન્ય ઋદ્ધિ – સિદ્ધિ વધવા જ લાગી. યશ-કીર્તિથી માતા – પિતા પણ વુદ્ધિ પામ્યા અને પ્રભુજી નિર્ભય અડગ અને પરાક્રમી થયા.

આ પણ વાંચો : જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન માત્ર જૈનોનાજ ન્હોતા

Related posts

જૈન ધર્મના અગિયારમાં તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ ભગવાન

admin

પાલીતાણાનાં રોહિશાળા જૈન તીર્થનો અદભૂત નજારો, આવો શ્રી આદિનાથ ભગવાનનાં દર્શન કરીએ

admin

નારિયેળ તેલ લગાવવાથી ગાયબ થઈ જશે ચહેરાના ડાઘ, ચહેરા પર આવશે આલિયા ભટ્ટ જેવો નિખાર

admin

Leave a Comment