ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૂર્ય જાણે અગનગોળા વરસાવતો હોય તેવું લાગે છે. આવા સમયે ઘરની બહાર નીકળવાની ઇચ્છા પણ થતી નથી. ઘણી વખત ગરમીનું તાપમાન એટલી હદે ઉંચું જાય છે કે જેની કલ્પના કરવી જ રહી. આવી સ્થિતિમાં લૂ લાગવાની શક્યતા ખૂબ જ રહે છે. આમ લૂ લાગે ત્યારે શું કરવું એની વિશેષ માહિતી મેળવવીએ. ગરમીની ઋતુમાં લૂ લાગવાની ઘણી સંભાવના રહે છે. આમ લૂ લાગ્યા પછી કઈ રીતે તેનો દેશી ઉપચાર કરી શકાય છે તે જાણીએ. જેમાં કોઈને લૂ લાગે ત્યારે શું કરવું તે બાબતે જાણકારી મેળવીએ.
- કાંદાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી લૂ માં રાહત મળે છે.
- કાચી કેરી અને કાંદાનો રસ કાઢી આખા શરીરે અને ખાસ કરીને હાથ-પગના તળિયે લગાવવાથી લૂ મટાડી શકાય છે.
- કાચી કેરીને પાણીમાં ઉકાળી તેમાં સાકર ભેળવીને તેનું શરબત બનાવીને પીવું જોઈએ.
- તુલસીનાં પાન અને ખાંડને વાટીને તેનો રસ પીવાથી લૂ સામે રાહત મળે છે.
- કાંદા, જીરું અને ખાંડ વાટીને ખાવું.
આમ લૂ સામે લડત આપવા માટે ઉપર પ્રમાણેનાં દેશી ઉપચાર અપનાવાથી લૂ મટાડી શકાય છે.