ચીનમાં કોરોના વાઈરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કર્યુ છે. ત્યારે આરોગ્યમંત્રીની બેઠક બાદ ગુજરાત રાજ્ય સરકારે લોકો કોરોનાની ગાઈડલાઈન અનુસરવા જણાવ્યુ હતું. તેવામાં અમદાવાદના ઓગણજ નજીક પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં 15 ડિસેમ્બર, 2022 થી 15 જાન્યઆરી 2023 સુધી ચાલુ રહેવાનો છે. ત્યારે BAPS સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આવતાં દર્શનાર્થીઓ માટે કોરોના ગાઈડલાઈન જાહેર કરી હતી.
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં જોડાયેલા આયોજક સહિત દર્શાનાર્થીઓએ ખાસ ધ્યાનમાં રાખવાની બાબત :
- મહોત્સવની સેવમાં જોડાયેલા તમામ સ્વયંસેવકો અવશ્ય માસ્ક પહેરવા તથા દર્શાનાર્થીઓએ પણ જરૂરથી માસ્ક પહેરીને મહોત્સવમાં આવવું.
- સોશ્યલ ડિસ્ટન્સનું યોગ્યપણે પાનલ કરવું.
- એકબીજા સાથે હાલ મિલાવવાનું ટાળવું. નમસ્કાર મુદ્રાથી જ અભિવાદન કરવાનો આગ્રહ રાખવો.
- શરદી, તાવ, ઉધરસ જેવી તકલીફ ધરાવતા વ્યક્તિએ મહોત્સવમાં ન આવવું.
- મોટી ઉંમરના અને નાજુક સ્વાસ્થ્ય કે હ્રદયરોગ, બી.પી. ડાયાબિટીસ, કિડની ડીસીઝ વગેરે બિમારી ધરાવતી વ્યક્તિઓએ ભીડમાં આવવાનુ ટાળવું.
- વિદેશથી આવનારા લોકોએ અવશ્ય કોરોના ટેસ્ટ કરાવવો.
- WHO, ભારત સરકાર અને રાજ્ય સરકારના નિર્દેશ મુજબ કોરોના સામે સાવધાની દાખવી.
- મહોત્સવમાં આવતા લોકોએ સાબુ અને હેન્ડ સેનિટાઈઝરથી પોતાના હાથ સ્વચ્છ રાખવા.
આમ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આવતા દર્શનાર્થીઓને ચૂસ્તપણે પાલન કરવા BAPS સંઘના આયોજક દ્વારા જણાવવામાં આવ્યું હતું.