June 24, 2025
Jain World News
AhmedabadGujaratJain Dharm SpecialJainismSparsh Mahotsav

Sparsh Mahotsav માં મહારાજ સાહેબે કહ્યું : જૈન ભગવાન બની શકે છે

sparsh mahotsav

Sparsh Mahotsav : અમદાવાદ ખાતે 10 દિવસીય સ્પર્શ મહોત્સવની મુલાકાત અમારી જૈન વર્લ્ડ ન્યુઝ લઇ રહ્યી છે. મહોત્સવની મુલાકાત લેવા આવતા દરેક મુલાકાતીઓ સાથે પ્રત્યક્ષ મુલાકાત કરી એમનાં અનુભવો વિશે જાણી રહ્યા છીએ. આજે અમે આ મહોત્સવમાં મહારાજ સાહેબને મળ્યા હતા. આ મહારાજ સાહેબે અમને જણાવ્યું હતુ કે, જૈન હોવું એ અમારા માટે ખુશીની વાત છે. વિશ્વમાં ઘણા બધા ધર્મો છે.અમે સૌ ધર્મનું આદર કરીએ. અમે જૈન સમાજનાં શિક્ષણથી જાણ્યું છે કે આ એક જ એવો ધર્મ છે જે ભગવાનની માત્ર અનુભૂતિ નહીં પરતું કોઇ પણ સામાન્ય વ્યક્તિને ભગવાન બનાવી શકે છે.

Sparsh Mahotsav માં જૈન મુનીએ સમજાવ્યું કર્મ મહત્વ :

‘મનુષ્ય અવતારમાં જન્મ લેવો એ સૌથી મોટી ખુશી વાત છે. એમાં પણ જૈન સમાજમાં જન્મ થવો એ અમારા માટે ખુશીની વાત છે. મનુષ્ય જીવન પાપ અને પુણ્ય કર્મોથી સંકળાયેલું છે. જે જેવું કર્મ કરે છે એવા જ કર્મ અનુસંધાને વ્યક્તિનો આવનારો જન્મ નક્કી કરતો હોય છે. આજે મનુષ્યનું જીવન મોહ-માયાથી ભરેલું છે. આ મોહ માયાને વશમાં કરીને એની તરફ બેધ્યાન રહેવાનું હોય છે.

આજે આપણું ધ્યાન વિવિધ માયાવી વિષયોમાં ગુંચવાયેલું છે. માયાને ત્યાગીને જે માણસ પુણ્ય કર્મ કરે છે એ જ મનુષ્ય અવતારથી આગળ જાય છે.’ આ શબ્દો છે સ્પર્શ મહોત્સવ (Sparsh Mahotsav)માં પધારેલા હિતસુંદરવિજય મહારાજ સાહેબનાં. હિતસુંદરવિજય મહારાજ સાહેબે જૈન વર્લ્ડ ન્યુઝની અમારી ટીમ સાથે વાર્તાલાપ કરતા જણાવ્યું હતું કે, જૈન ધર્મમાં મારો જન્મ થવો એ મારા માટે ખુશીની વાત છે. જૈન ધર્મનાં શિક્ષણ માત્રથી જ આજે સમાજમાં પુણ્યશાળી વિચારોનો પ્રચાર જોવા મળે છે. જૈન ધર્મમાં જન્મ લેતાની સાથે જ પાપ ન કરવું, દારૂ-તમાકુ,સિગારેટનાં વ્યસનથી દૂર રહેવું જોઇએનાં સંસ્કાર મળતા હોય છે.

જૈન ધર્મ સાક્ષાત ભગવાન બનવાનો માર્ગ બતાવે છે :

જૈન ધર્મ વિશે વધું જણાવતા મહારાજ સાહેબે કહ્યું કે, જૈન ધર્મ જ એક માત્ર ધર્મ છે જે ભગવાનની ન કેવળ અનુભૂતિ કરાવે છે પરંતું સાક્ષાત ભગવાન બનવાનો માર્ગ પણ બતાવે છે. જૈન ધર્મનું આચરણ કરીને કોઇ પણ વ્યક્તિ જૈનમુની બની શકે છે. આજે ઘણા લોકો જૈન ધર્મમાં જન્મ લેવાનું સ્વપ્ન રાખતા હોય છે. જૈન ધર્મનું આચરણ સામાન્ય વ્યક્તિને સદાચારી બનાવે છે. સદાચાર એ ભગવાનનું દર્શન કરાવે છે. આ બાદ દિક્ષા અને એ બાદ ગુરુની આજ્ઞા જ એક મુમુક્ષૂ માટે, એક સાધુ મુની માટે અને એક શ્રાવક માટે પણ સર્વોશ્વ હોય છે. આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તનાર દરેક જીવ પોતાનાં વ્યક્તિત્વમાં રહેલી એવી દરેક કપરામાં કપરી ક્ષણોની પરીક્ષામાંથી પસાર થાય છે. ઉપવાસ અને સંયમ એ દરેક સાધુ મુનીને ભગવાન સમક્ષ દોરી જાય છે.

વિશ્વના વિવિધ ધર્મોમાં સર્વોચ્ચ પદે કોઇ પદ હોય છે. આ પદથી કોઇ ઉપરી જઇ શકતું નથી. એ વાત કરતા મહારાજ સાહેબે જૈન ધર્મની વાત કરતા જણાવ્યું કે, જૈન ધર્મ કેવળ એક માત્ર ધર્મ છે જેમાં કોઇ પણ જૈન મુની પરમાત્મા બની શકે છે. આ માટે જૈન આચરણ મહત્વનું હોય છે. તપસ્વીઓએ ઉપવાસને પાળવાનાં હોય છે.આ જ સાથો સાથ ગુરૂની આજ્ઞાને પાળવાની હોય છે. કહેવાય છે કે ગુરૂ આજ્ઞા વિના પ્રભુ દર્શન દુર્લભ છે. એ જ રીતે ગુરુની આજ્ઞા વિના મોક્ષ પણ દુર્લભ કહી શકાય. જૈન ધર્મનાં 24 તિર્થંકરો પૈકી કોઇ પણ તિર્થંકરે કદી પણ એવું નથી કહ્યું કે અમે જ સર્વોપરી છીએ. જ્ઞાનનો ફેલાવો કરાવવાનું કર્મ એ દરેક મુની પાસે છે. આજ જ્ઞાનને લીધે પ્રભુ માર્ગે જઇ શકાય છે.

દીક્ષા લઈને બ્રહ્મચર્યનું આચરણ કરીને જ મોક્ષપ્રાપ્તિ થઈ શકે :

દીક્ષા લઈને બ્રહ્મચર્યનું આચરણ કરીને જ મોક્ષપ્રાપ્તિ થઈ શકે છે. આ મોક્ષ મળ્યા બાદ જ પરમતેજને પમાય છે. સ્પર્શ મહોત્સવ (Sparsh Mahotsav)માં સાધુ સંતોનાં આગમનનો લાભ સૌ કોઇ લઈ રહ્યા છે. સાધુ મુનીઓ સાથે વાર્તાલાપનો લાભ પણ લોકો લઈ રહ્યા છે. જૈન સમુદાયનાં સમાચાર મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને આપના વિસ્તારનાં કાર્યક્રમો અને માહિતી આપવા સંપર્ક કરો જૈન વર્લ્ડ ન્યુઝ : 9998747089

Related posts

સ્પર્શ મહોત્સવ : આવતી કાલે આઠ મુમુક્ષુ સંસારનો ત્યાગ કરીને દિક્ષા લેશે | Sparsh Mahotsav Ahmedabad

admin

JainWorldNews | જાણો પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબના જીવનની કેટલીક વાતો

admin

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં જાવ છો, તો જાણી લો આ નિયમો

admin