દેશભરમાં અગ્નિપથ યોજનાને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. ખાસ કરીને આર્મીની ભરતીની તૈયારી કરતાં યુવાનોમાં આ ભરતીને લઈને ઘણાં મતભેદ જોવા મળે છે. આ યોજનામાં ઉમેદવારોને ચાર વર્ષ માટે સેનામાં agniveer તરીકે ભરતી કરવામાં આવશે. ત્યારબાદ ચાર વર્ષની ભરતી મર્યાદા બાદ તેમને તેમાંથી છુટા કરી દેવામાં આવશે. જેને લઈને યુવાનોએ આ યોજનાને નકારી વિરોધ પ્રદર્શન કર્યાં હતા.
તેવામાં જનરલ મનોજ પાંડેએ ભરતી માટેની વય મર્યાદામાં વધારો કરીને 23 વર્ષ કરવામાં આવ્યું છે. વિશેષમાં થલ સેનાના વડા જનરલ પાંડે દ્રારા જણાવામાં આવ્યું હતું કે, અગ્નિવીરોની ભરતીની પ્રક્રિયા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. જેની માહિતી આર્મીની ઓફિસિયિલ વેબસાઈ પર મુકવામાં આવશે. જેમાં યોજના સંબંધિત તમામ માહિતીને વિસ્તૃત સ્વરૂપે મુકવામાં આવશે. બીજું, ભારતના યુવાને ભારતીય સેનામાં અગ્નિવીરો તરીકે સામેલ થવા માટે અવસરનો લાભ ઉઠાવો.
ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ વી.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, ઉમેદવારો માટે વય મર્યાદા 23 વર્ષ કરી દેવામાં આવી તેની મને ખૂશી છે. તેનાથી યુવાનોને લાભ થશે. આગામી 24 જૂનથી વાયુ સેના માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ભરતીના નવા નિયમ :
- સૈનિકોની ચાર વર્ષ માટે ટુર ઓફ ડ્યુટી સિસ્ટમ મુજબ ફોર્સમાં ભરતી કરશે.
- નિવૃતિ પછી તેઓને 11 લાખ આપવામાં આવશે.
- આ સૈનિકોને અગ્નિવીરો તરીકે ઓળખવામાં આવશે.
- દર વર્ષે 45 થી 50 હજાર અગ્નિવીરોની ભરતી ત્રણેય વિંગમાં કરવામાં આવશે.
- વર્ષમાં બે વખત ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
- નોકરીની વય મર્યાદા 17.5 થી 23 વર્ષની રહેશે.
આ યોજના હેઠળ ચાર વર્ષ સુધી યુવાઓ agniveer તરીકે સેનામાં ભરતી કરાશે. જોકે, ચાર વર્ષ સેનામાં અગ્નિવીર તરીકે ફરજ પૂરી કર્યાં બાદ તેમને સેવામાંથી મુક્ત કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે સર્વિસ પૂરી કર્યા પછી અગ્નિવીરો કેટલીક બેંક સહાયની સાથે નોકરીની તક પણ આપવામાં આવશે. યોજનામાં જણાવ્યાં અનુસાર, અગ્નિવીરોને 30થી 40 હજાર જેટલો પગાર આપવામાં આવશે.