ગુજરાત : સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના ઝૈનાબાદમાં શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર આવેલું છે. શ્રી પાર્શ્વનાથ ભગવાન પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ દેરાસરના પાછળના ભાગે સરસ પરિકર જોવા મળશે. ડાબી બાજુએ શ્રી શાંતિનાથ ભગવાનની મૂર્તિ અને જમણી બાજુએ શ્રી સંભવનાથ ભગવાનની મૂર્તિ છે. શાંતિના વાતાવરણમાં સુંદર શીખરબંધ જૈન શ્વેતાંબર દેરાસર જૂનું હોવા છતાં સારી રીતે જાળવવામાં આવ્યું છે. તેની સાથે આ દેરાસરને ખૂબ જ સુઘડ અને સ્વચ્છ રાખવામાં આવે છે. મુલનાયક ભગવાનની પ્રતિમા સુંદર અને આકર્ષક છે.
ઝૈનાબાદ એ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલું ગામ છે. તે જિલ્લાના મુખ્ય મથક સુરેન્દ્રનગરથી ઉત્તર તરફ 77 કિમી દૂર આવેલું છે. દસાડાથી 6 કિ.મી. રાજ્યની રાજધાની ગાંધીનગરથી 105 કિ.મીનાં અંતરે આવેલી છે. આ સાથે વિરમગામ, કડી, રાધનપુર, વઢવાણ એ ઝૈનાબાદની નજીકના શહેરો છે.
કેવી રીતે પહોંચવું :
સુરેન્દ્રનગરના દસાડા-પાટડી તાલુકના ઝૈનાબાદ ખાતે આવેલા શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર સુધી પહોંચવા માટે રોડ મારફતે જવુ પડશે. 10 કિમીથી ઓછા વિસ્તારમાં ઝૈનાબાદની નજીક કોઈ રેલ્વે સ્ટેશન નથી.