નવ ડિસેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણની ઘટના થઈ હતા. ત્યારે ચીને આ બાબતે પહેલું નિવદેન સામે આવ્યું છે. એ.એફ.પી. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ચીને એવું કહ્યું કે “આ હિંસક ઘટનાના અહેવાલો બાદ ભારત સરહદ પર સ્થિતિ સ્થિર છે.”
આ ઘટનાને લઈને સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો હોબાળો ચાલુ થયો છે. તેવામાં રક્ષામંત્રી રાજનાથ સિંહે આ અંગે લોકસભામાં જવાબ આપતા કહ્યું કે, ભારતીય સેનાએ બહાદુરીથી ચીનને જવાબ આપ્યો. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને તેમની પોસ્ટ પર પાછા મોકલી દીધા. આ દરમિયાન ભારતીય સેનાનો કોઈ જવાન શહીદ નથી થયા કે કોઈ જવાન ઘાયલ નથી થયા.
China says situation 'stable' on India border after reports of clashes, reports AFP News Agency
— ANI (@ANI) December 13, 2022
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, હું આ ગૃહને અરુણાચલના તવાંગમાં બનેલી ઘટના વિશે જણાવવા માંગુ છું. 9 ડિસેમ્બર 2022ના રોજ PLA જવાનોએ અતિક્રમણ કરીને યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો. અમારી સેનાએ તેનો મજબૂતીથી સામનો કર્યો. આ દરમિયાન મારામારી પણ થઈ હતી. ભારતીય સેનાએ ચીની સૈનિકોને અતિક્રમણ કરતા અટકાવ્યા અને તેમને તેમની પોસ્ટ પર પાછા મોકલી દીધા.
रक्षा मंत्री राजनाथ सिंह जी का लोक सभा में तवांग की स्तिथि पर वक्तव्य। pic.twitter.com/hZxmfELVf1
— Amit Malviya (@amitmalviya) December 13, 2022