ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના માંડ હવે બે અઠવાડિયા જેટલો સમય બાકી છે. તેવામાં PM Narendra Modi ગુજરાતના પ્રવાશે આવ્યાં છે. ત્યારે ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે મોદીએ સુરેન્દ્રનગરમાં ભવ્ય સભાને સંબોધન કર્યુ હતું.
ગુજરાતની ચૂંટણી વિધાનસભાનાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ તરફથી પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. આજે PM નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર જિલ્લામાં સભાઓ ગજવવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગુજરાત અને કેન્દ્ર સરકારના વિકાસના કાર્યોની વાત કરી હતી. આ સાથે વિપક્ષો પર આકરા પ્રહાર પણ કર્યા હતા.
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ સુરેન્દ્રનગરની ધીંગી ધરા પર લાખોની જનમેદનીમાં આયોજિત 'વિજય સંકલ્પ સંમેલનને સંબોધી ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી સાથે જિતાડવા આહ્વાન કર્યું. (1/2)#કમળ_સાથે_સમૃદ્ધ_ગુજરાત pic.twitter.com/LsHsTBPDHT
— BJP Gujarat (@BJP4Gujarat) November 21, 2022
આ ચૂંટણી ગુજરાતની જનતા લડે છે : PM નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસના આજે ત્રીજા દિવસે સુરેન્દ્રનગરમાં વિશાળ જનસભાને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, આ ચૂંટણી મોદી કે ભૂપેન્દ્ર નહીં પરંતુ ગુજરાતની જનતા લડી રહી છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, એ લોકો કહે છે કે આ વખતે મોદીને ઓકાત દેખાડી દઈશું. તેના પ્રતિઉત્તરના ભાગે મોદીએ કહ્યું કે, તમે તો રાજવી પરિવારના માણસો છો, મારી તો કોઈ ઓકાત નથી. હું તો સામાન્ય પરિવારનો સંતાન છું.
હું નરેન્દ્ર, ભૂપેન્દ્ર અને આપણું સુરેન્દ્ર આ ત્રિવેણી સંગમ છે : PM નરેન્દ્ર મોદી
સંબોધન દરમિયાન PM મોદીએ સુરેન્દ્રનગરના લોકોને કહ્યું કે, તમારે મારે એક અંગત કામ કરવાનું છે. હું નરેન્દ્ર, ભૂપેન્દ્ર અને આપણું સુરેન્દ્ર આ ત્રિવેણી સંગમ છે. હું દિલ્હીમાં હોવાથી અહીં આવી શકતો નથી, પણ મને તમારી યાદ આવે જ ને… આ સાથે સુરેન્દ્રનગરના લોકોને કહ્યું કે, તમારે મારુ આટલું કામ કરવાનું છે કે તમારે લોકોના ઘરે ઘરે જઈને કહેવાનું છે કે નરેન્દ્રભાઈ આવ્યા હતા અને તમને પ્રણા કહ્યાં છે.
Grateful to the sisters and brothers of Surendranagar for their immense affection. Addressing a @BJP4Gujarat rally. https://t.co/Yi7lZBhsEo
— Narendra Modi (@narendramodi) November 21, 2022