June 24, 2025
Jain World News
AhmedabadFeaturedGujaratJainism

Ahmedabad : આણંદજી કલ્યાણજી પેઢી ખાતે Mumbai અને Ahmedabad Jain સંગઠનની મીટિંગ યોજાઈ

પાલિતાણાના Jain દેરાસરની ઘટના લઈને સમગ્ર જૈન સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. મહાતીર્થ શેત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળામાં પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને અજાણ્યા શખ્સોએ ખંડિત કર્યા હતાં. ઉપરાંત ગિરિરાજ પર ગેરકાયદેસર ખનન, દારુનું વેચાણ અને અસામાજિક તત્વોના વિરોધમાં પાલિતાણા સહિત અનેક જગ્યાએ જૈન સમાજની મીટિંગ અને રેલીઓ યોજાઈ હતી. ત્યારે અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢી ખાતે અમદાવાદ અને મુંબઈના જૈન સમાજની  મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી. જેમાં પેઢીના ટ્રસ્ટીઓ સહિત જૈન સમાજના અગ્રણી હાજર રહ્યા હતા.

Ahmedabad ના આંબાવાડી વિસ્તારમાં આવેલી આનંદજી કલ્યાણજી પેઢી ખાતે Mumbai મહાસંગઠન અને અમદાવાદ જૈન સંગઠનની મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી. જેમાં પેઢીનાં ટ્રસ્ટીઓ, મુંબઈ અને અમદાવાદના જૈન સમાજના 16થી વધુ આગેવાનો હાજર રહ્યા હતા. મીટિંગમાં ગિરિરાજની રક્ષાને લઈને હવે પછી શું કાર્ય કરવા તે માટેની ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાત સરકારે મંગળવારના રોજ સાંજે ટાસ્કફોર્સની રચના કરી હતી. તે સંદર્ભે જૈન સમાજના અગ્રણીઓની એક મીટિંગ આણંદજી કલ્યાણજી પેઢી અમદાવાદ ખાતે યોજાઈ હતી. આ મીટિંગમાં પેઢીનાં ટ્રસ્ટીઓ, મુંબઈ અને અમદાવાદના જૈન સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. તેવામાં અમદાવાદની મહારેલીમાં 19 મુદ્દઓને લઈને સરકારને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. તે બાબતે જૈન અગ્રણીનું મૌન જોવા મળ્યું હતું.

અમદાવાદ જૈન સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે,  “અમારા શેત્રુંજય તીર્થની રક્ષામાં અમને જે કાયદાકીય અડચણરૂપ થઈ રહ્યું છે તે દુર કરવા માટે અમે વારંવાર સરકારને 19 મુદ્દાઓ સાથે લો એન્ડ ઓર્ડર સચવાય એ રીતની માંગણી કરી હતી. આ સાથે ગિરિરાજ પર ચાલતી ગેરકાયદેસરની પ્રવૃતિ સામે આક્રોષ વ્યક્ત કર્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવાથી જૈન સમાજમાં આનંદ છે. જેમાં ગુજરાત સરકારે સારી રીતે કાર્ય કરવાની શરૂઆત કરવાની સાથે જૈનોની માંગણીઓને સંતોષવાનો પ્રયત્ન કર્યો છે.”

અમદાવાદ જૈન સંઘના ઉપપ્રમુખ જગત પરીઘ એ જણાવ્યું હતું કે,  “સરકાર દ્વારા જે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તે ટાસ્ક ફોર્સમાં સરકારના વિવિધ વિભાગો જેવા કે મહેસુલ વિભાગ, નગરપાલિકા, વનવિભાગ સહિત પોલીસ અધિકારી ભેગા મળીને સારુ એવું કાર્ય કરવામાં આવે અમારી બધી 19 માંગણીઓ સારી રીતે સંતોષાઈ જાય એમ છે. તેવામાં અમે આણંદજી કલ્યાણજી પેઢી અમદાવાદ અને મુંબઈ સંઘના હોદ્દેદારો ભેગા થયા છીએ. જેમાં સરકાર તરફથી આણંદજી કલ્યાણજી પેઢીને જે રીપોર્ટ મળ્યો હોય તેની જાણકારી આ મીટિંગમાં મળશે.

શેઠ આણંદજી કલ્યાણજી પેઢી :

જૈન ધર્મની આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલી પેઢી એટલે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી. આ પેઢીનું નિર્માણ 400 વર્ષ પહેલા કરવામાં આવ્યું હોવાનું જૈન સમાજના અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું હતું. પેઢીના નામની વાત કરીએ તો, આણંદજી કોઈ વ્યક્તિ ન હતા. પરંતુ આવું નામ પાછળ એક મહત્વપૂર્ણ ભાવ છૂપાયેલો છે. જેમાં સૌ કોઈ આનંદમય રહે અને બધાનું કલ્યાણ થાય તે હેતુથી આ પેઢીનું નામ પાડવામાં આવ્યું હતું. ઉપરાંત જૈન તીર્થ સ્થાનની રક્ષા અને વહીવટ સંભાળવા અર્થે આ પેઢી અસ્તિત્વમાં લાવવામાં આવી હતી. જેમાં 20થી વધુ તીર્થનો વહીવટ આ પેઢી દ્વારા રાખવામાં આવે છે. આગળ જણાવીએ તો, જૈન સમાજમાં કોઈ પ્રકારની સમસ્યા ઉદ્ભવે તો તેના નિરાકરણમાં આણંદજી કલ્યાણજી પેઢીનો મહત્વપૂર્ણ ભાગ હોય છે. આમ 400 વર્ષથી આ પેઢી અડિખમ ચાલતી આવે છે અને જૈન ધર્મના દરેખ પ્રશ્નોને વાંચા આપે છે.

 

Related posts

વાડીયા ગામની 30થી વધુ દિકરીઓને ભણાવીને ગામની તસવીર બદલવાની સૂર્યાશોભાવંદના ફાઉન્ડેશન દ્વારા પહેલ

admin

સિદ્ધ કરતાં અરિહંત પહેલા કેમ? જાણો સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુના ગુણો

admin

Ahmedabad નાં જોધપુરમાં આવેલું શ્રી પ્રેરણા તીર્થ જૈન દેરાસર | Jain Temple

admin

Leave a Comment