રાજા દ્રઢ રથનું શરીર તાવથી ધગધગતું હતું. ગર્ભવતી રાણી નંદા દેવીનો સ્પર્શ થતાંજ મહારાજનું ઉષ્મ શરીર હીમ જેવું શીતલ થઈ ગયું. જે ગર્ભસ્થ પ્રભુના પ્રતાપથી આવું થયું એજ, વંથલી તિર્થ મંડન, શ્રીવત્સ લંછન, સુવર્ણ વર્ણન, 10માં ભગવંત, શ્રી શીતલ નાથ દાદાનું ચ્યવન કલ્યાણક આજે ચૈત્ર વદ 5 એ (6ઠ્ઠનો ક્ષય હોવાથી) છે. | કલ્યાણક
બોલો શ્રી શીતલનાથ ભગવાનની જય…
તીર્થંકર પરમાત્મા ગર્ભમાં હોવા છતાંય રત્ન કુક્ષી માતાનું પેટ ફૂલે નહીં. પ્રભુ અવતરે ત્યારે રડે નહીં. માતાને બિલકુલ પ્રસવ પીડા થાય નહીં. પરમાત્મા ક્યારેય માતાનું સ્તન પાન કરે નહીં. તેઓ ઇન્દ્ર દેવ દ્વારા અમ્રુતથી સંક્રમિત કરાયેલા પોતાના અંગુઠા પાન દ્વારા વૃદ્ધિ પામે. પ્રભુ ક્યારેય શિક્ષક પાસે ભણે નહીં કેમ કે જન્મથી જ ત્રણ જ્ઞાન ના ધણી ખુદ પ્રભુ, શિક્ષક કરતાંય અનંત ઘણા જ્ઞાની હોય.

કલ્યાણક આરાધના વિધિ :
તપ :
એક કલ્યાણક હોય ત્યારે એકાસણું
વિધિ :
12 લોગસ્સનો કાઉસગગ, 12 સાથિયા, તેની ઉપર 12 નૈવેધ અને 12 ફળ મુકવા તથા 12 ખમાસમણા દેવા.
ખમાસમણાનો દુહો :
“પરમ પંચ પરમેષ્ઠીમાં, પરમેશ્વર ભગવાન ;
ચાર નિક્ષેપે ધ્યાઈએ, નમો નમો શ્રી જિનભાણ.
જાપ : 20 નવકારવાળી નીચે પ્રમાણે ગણવી.
એક ચ્યવન કલ્યાણકે : ૐ હ્રીં શ્રી શીતલ નાથ પરમેષ્ઠીને નમઃ