June 24, 2025
Jain World News
FeaturedJain Dharm SpecialJain PhilosophyJainism

જૈનધર્મમાં નવપદનું મહત્વ, નવપદ કરવાથી શું પ્રાપ્ત થાય

નવપદ

જૈનધર્મમાં નવપદ કરવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. નવપદ કરવાથી આપણામાં એક એલગ જ ઉર્જાનું સંચય થાય છે.  નવપદમાં તેના નવે નવ પદનું સ્મરણ કરવાથી અનેક ગણા પરિવર્તન આપણામાં આવે છે. જૈનધર્મમાં નવપદ ક્યા ક્યા છે, તેનું કઈ રીતે બોલવામાં આવે છે અને દરેક નવપદની અલગ અલગ વિશેષતા વિશેની જાણકારી મેળવીએ.

પ્રથમ પદ

“નમો અરિહંતાણં..” ના સ્મરણ સાથે અરિહંત પરમાત્માને નમસ્કાર કરી ભાવવંદન સાથે પ્રાર્થના કરવાની કે.. ક્યારે અમે વિતરાગ દશાને પ્રગટ કરીએ.. રાગ-દ્વેષથી મુક્ત અરિહંતતાને પ્રાપ્ત કરીએ!

દ્વિતીય પદ

“નમો સિધ્ધાણં..” અનંતા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી અંતરથી ભાવના ભાવવાની કે.. હે ભગવાન! મારે પણ તારા જેવું નિષ્પાપ જીવન જોઈએ છે. મોક્ષમાં જીવન નથી માટે કોઈનો જીવ લેવાની વાત નથી. મારે કાયાથી મુક્તિ જોઈએ છે!

તૃતીય પદ

“નમો આયરિયાણં..” પદની આરાધના સાથે આચાર્યજીને વંદન નમસ્કાર કરીને ભાવના ભાવવાની કે.. હે ભગવાન! પ્રવૃત્તિઓ તો મેં અનંતા ભવમાં અનંતી વાર બદલી છે. આ ભવમાં ગુરુકૃપાએ વૃત્તિઓ બદલાવી શકું એવી કૃપા કરજો!

ચતુર્થ પદ

“નમો ઉવજ્ઝાયાણં..” ના સ્મરણ સાથે ઉપાધ્યાયજીને નમસ્કાર કરીને ભાવના ભાવવાની કે.. અમારા પર એવી કૃપા અને કરુણા કરજો કે અમારી અંદરમાં રહેલું અનંત જ્ઞાન પ્રગટ થાય અને અમે પણ કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પામીએ!

પંચમ પદ

“નમો લોએ સવ્વ સાહૂણં..” લોકમાં બિરાજમાન સર્વ સાધુઓને અને એમના ગુણોને નમસ્કાર કરી પ્રાર્થના કરવાની કે.. હે ભગવાન! કોઈ પણ સાધુ-સાધ્વી પ્રત્યે અવિનય, અભક્તિ,અપરાધ કે અશાતના ન થાય એવી જાગૃતિ આપજો.. એવી સાવધાની રાખી શકું એવી કૃપા કરજો!

છઠ્ઠું પદ

“નમો દંસણસ્સ..” દર્શન વિશુદ્ધિની ભાવના સાથે દર્શન ગુણને નમસ્કાર કરી પ્રાર્થના કરવાની કે… હે પરમાત્મા! જેનું જેવું સ્વરૂપ છે તે સ્વરૂપને જાણી શકું એવી સમ્યક્ દૃષ્ટિ મારામાં પણ પ્રગટે..!! આંખથી નહીં પણ આત્માથી દર્શન કરી શકું એવી દૃષ્ટિ મને પ્રાપ્ત થાઓ!

સાતમું પદ

“નમો નાણસ્સ..” જ્ઞાન પ્રાગ્ટયના ભાવો સાથે જ્ઞાન ગુણને વંદન નમસ્કાર કરીને પ્રાર્થના કરવાની કે.. હે પરમાત્મા! જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યે અહોભાવ પ્રગટાવી, જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરવાનું સામર્થ્ય આપજો.. મારો પુરુષાર્થ પ્રબળ બને અને મારામાં રહેલું અનંત જ્ઞાન પ્રગટ થાઓ!

આઠમું પદ

“નમો ચરિતસ્સ..” ચારિત્ર મોહનીય કર્મોના ક્ષયની ભાવના સાથે ચારિત્ર ધર્મને વંદન કરી દરરોજ એકવાર તો સ્મરણ કરવું કે.. હે પ્રભુ! મારે તારો વેશ એકવાર પહેરવો છે! મારા અંત સમય પહેલાં મારા અંતરમાં દીક્ષાના ભાવ પ્રગટે.. સંયમ લેવાના ભાવ પ્રગટે એવી કૃપા કરજો… એવી કૃપા કરજો!

નવમું પદ

“નમો તવસ્સ..” અવગુણ શુદ્ધિ અને આત્મશુદ્ધિના ભાવો સાથે તપ નામના ગુણને વંદન-નમસ્કાર કરી પ્રાર્થના કરવાની કે.. હે ભગવાન! તપ દ્વારા મારે માત્ર કર્મોને જ નહીં, કર્મોના કારણને જ ખપાવવા છે, જેથી ફરી કર્મબંધ થાય જ નહીં. હે ભગવાન! તપ દ્વારા મારે ત્યાગ નથી કરવો, પણ અનાસક્ત ભાવ કેળવી વૈરાગ્યને પ્રાપ્ત કરવો છે. હે ભગવાન મને એવી શક્તિ આપજો!

આ પણ વાંચો : છ ગાઉની પ્રદક્ષિણા કઈ રીતે કરી શકાય

Related posts

Jain Kalyanam Metromony દ્વારા જૈન પુનર્વિવાહ પરિચય સમ્મેલનું આયોજન, વન ટુ વન ઝૂમ મીટીંગથી સમ્મેલ યોજાશે

admin

જૈન ધર્મના આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુ ભગવાન

admin

143 વર્ષ પહેલા Morbi નાં રાજાએ મચ્છુ પરનો ઝૂલતો પુલ બંધાયેલો, જાણો Morbi પુલની કહાની

Sanjay Chavda

Leave a Comment