June 24, 2025
Jain World News
FeaturedNewsWorld News

Christ the Redeemer Statue | જીસસના વિશાળ સ્ટેચ્યુ પર પડી વીજળી, કેમેરામાં કેદ થયાં ચોકાવનારા દ્રશ્યો

Christ the Redeemer Statue

Christ the Redeemer Statue | બ્રાજીલની એક જબરદસ્ત તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલ ફોટો ત્યાના પ્રખ્યાત જીસસના સ્ટેચ્યુ ના છે. જેના પર 10 અને 11 ફેબ્રુઆરીની રાત્રે વીજળી પડી હતી. આ મુવમેંટ કેમેરામાં કેદ થઈ હતી. તસવીરમાં તમે જોઈ શકો છો કે વીજળી જીસસના માથાનાં વચોવચ જઈને પડી છે.

દુનિયાના સાત અજુબામાંથી એક છે આ સ્ટેચ્યુ

તમણે જણાવી દઈએ કે, જીસસની જે મૂર્તિ ઉપર આકાશીય વીજળી પડવાની વાત કહેવામાં આવી રહી છે તે સ્ટેચ્યુ સમુદ્ર પટથી 700 મીટરથી વધારે ઉંચાઈ પર એક પર્વતની ચોટી પર સ્થિત છે. આ સ્ટેચ્યુ પર 11 ફેબ્રુઆરીની રાત્રી વીજળી પડી હતી. જેના દ્રશ્યો કેમેરામાં કેદ થતા લોકોએ સોશિયલ મીડિયામાં તેને વાયરલ કર્યા હતા.

બ્રાજીલના એન્કેંટાડોમાં આવેલું જીસસનું સ્ટેચ્યુ ( Christ the Redeemer Statue )

મીડિયા રીપોર્ટમાં દાવો

બ્રાજીલના સમાચાર પોર્ટલ UOL એ નેશનલ સ્પેસ રીચર્સ ઈંસ્ટીટ્યુટના ડેટાનાં આધાર પર જણાવ્યું છે કે, જીસસનાં આ વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ પર વર્ષમાં સરેરાશ 6 વખત વીજળી પડી છે. વર્ષ 2014માં જ્યારે વીજળી પડી હતી. તે સમયે સ્ટેચ્યુને રીપેર કરવામાં આવ્યું હતું. ત્યારપછી મૂર્તિનાં જમણા હાથના અંગુઠોની ટોચ ટુટી ગઈ હતી.

શું છે સ્ટેચ્યુની વિશેષતા

સ્ટેચ્યુ
જીસસના સ્ટેચ્યુના છાતીના ભાગે દિલ આકારની એક બાલકનિ ( Christ the Redeemer Statue )

દુનિયાની ત્રીજા સૌથી ઊંચાઈ ધરાવતા સ્ટેચ્યુમાં બ્રાજીલના એન્કેંટાડોમાં આવેલું જીસસનું સ્ટેચ્યુ છે. જેની ઊંચાઈ 141 ફુટની છે. જમીનથી 40 મીટર ઊંચાઈ પર આવેલ આ જીસસના સ્ટેચ્યુના છાતીના ભાગે દિલ આકારની એક બાલકનિ બનાવવામાં આવેલી છે. ત્યાં ફરવા આવતા લોકો એલીવેટરની મદદથી આ બાલકનિ સુધી પહોંચે છે. જ્યાંથી લોકોને બ્રાજીલનો પેરાનામિક વ્યૂ જોવા મળે છે. વિશેષમાં જણાવીએ તો, બ્રાજીલના આ સ્ટેચ્યુને Christ the Redeemer નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : આ દેશમાં પગારને લઈને થયો હોબાળો, 10 વર્ષમાં કરાઈ સૌથી મોટી સ્ટ્રાઈક | Strike

Related posts

સુદાન સંઘર્ષ : સુદાનમાં ફસાયેલા ભારતીયો માટે ઓપરેશન કાવેરી બન્યું કવચ, INS સુમેધામાં 278 લોકોની બેચ જેદ્દાહ જવા રવાના થયા

admin

સન્ની પાજી દા ધાબામાં બનાવાતી પંજાબી અને મંચુરિયન વાનગીમાં કલરની ભેળસેળ, મનપાએ ₹ 6 લાખનો દંડ ફટકાર્યો

admin

શ્રી શીતલ નાથ દાદાનું ચ્યવન કલ્યાણક દિવસ

admin

Leave a Comment