Earthquake in Turkey | તુર્કી અને સીરિયામાં સોમવારે પરોઢિયે 4:17 વાગે 7.8 તીવ્રતાનો ભૂકંપ આવતા અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં અનેક લોકોના મોત થયા હતા. 24 કલાકમાં તુર્કી અને સીરિયામાં એક નહીં પણ ચાર-ચાર વખત ભૂકંપ આવતા 2500થી વધુ ઈમારતો ધરાશાયી થઈ હતી. જેમાં 4300થી વધુ લોકોના મોત થયા છે. આ મોતનો આંકડો હજુ વધી શકે તેવી શક્યતા છે. ઉપરાંત, 15 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તુર્કીયેનું ગાઝિયાટેપ શહેર છે. જે સીરિયાથી 90 કિ.મી.ના અંતરે આવેલું છે.
રાત્રે લોકો ઘરમાં ઉંઘતા હતા ને આવ્યો ભૂકંપ, બચવાનો મોંકો પણ ન મળ્યો
તુર્કી અને સીરિયામાં સોમવારની રાત્રે લોકો પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા. આ દરમિયાન ભૂકંપ આવતા લોકોને બચવાનો મોંકો મળ્યો ન હતો અને મોતનો આંક અનેક ગણો વધી ગયો. જ્યારે 15 હજારથી વધુ લોકોને ઈજા થઈ હતી.

12 કલાકમાં 3 ભૂકંપ, તુર્કીયે સીરિયા સહિત ચાર દેશોમાં ભારે તબાહી
Earthquake in Turkey | તુર્કીયે સીરિયા સહિત ચાર દેશોમાં ભૂકંપે તબાહી મચાવી હતી. 12 કલાક એટલે કે આખા દિવસમાં ત્રણ વખત તીવ્ર ભૂકંપના આંચકા આવ્યા હતા. જેમાં સૌથી પહેલા પરોઢિયે 4:17 વાગ્યે 7.8 તીવ્રતાનો, બપોરે 12 વાગ્યે 7.5 તીવ્રતાનો અને સાંજે 4 વાગ્યે 6ની તીવ્રતાનો ભૂકંપ આવતા અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.
યુએસ જિયોલોજિકલના સર્વે પ્રમાણે
યુએસ જિયોલોજિકલ સર્વેની વેબસાઈટ અનુસાર, આજે (7 ફેબ્રુઆરી) પણ તુર્કીયેમાં ભૂકંપનો તીવ્ર ઝટકો અનુભવાયો હતો. જેમાં સવારના 9:45 વાગ્યે ભૂકંપના આંચકા નોંઘાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.5ની જોવા મળી હતી.

તુર્કીયેમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક
તુર્કીયે અને સીરિયામાં ભૂકંપે ભારે તબાહી મચાવી છે. ત્યારે 24 કલાકમાં વારાફરીથી એક સાથે 4 વખત ભૂકંપના આંચકા અનુભવતા અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. જેમાં 4 હજારથી વધુ લોકોના મોત થયા અને 15 હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હજુ મોતનો આંક વધવાની આશંકા છે. ત્યારે તુર્કીયેમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
તુર્કીયેમાં આ પહેલા 1939માં આવેલા ભૂકંપમાં 30 હજારના મોત થયેલા
તુર્કીયેમાં આ પહેલા પણ આટલી જ તીવ્રતાના ભૂકંપ આવ્યો હતો. જેમાં 30 હજારથી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 84 વર્ષ પછી ફરી આવો જ ભયાનક ભૂકંપ તુર્કીયેમાં આવ્યો છે. આ ભૂકંપની અસર પેલેસ્ટાઈન અને ઈઝરાયલની ગાઝાપટ્ટી પર પણ 45 સેકન્ડ સુધી અનુભવાઈ હતી. જેના કારણે ત્યાની એક પૌરાણિક મસ્જિદ પણ ધરાશાયી થઈ હતી.
એક સેકન્ડમાં બીલ્ડિંગ ધરાશાયી થઈ : વીડિયો જોવા અહીં ક્લિક કરો

વડાપ્રધાન મોદીએ ભૂકંપમાં મોતને ભેટેલા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપમાં મૃત્યું પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ભારત સરકાર તરફથી મદદ અર્થે રાહત સામગ્રી સાથે એનડીઆરએફની ટીમ અને મેડિકલ સહાય પણ મોકલાઈ રહી છે.