June 24, 2025
Jain World News
BudgetFeaturedNationalUncategorized

Budget 2023 | આપણે આત્મનિર્ભર ભારત બનાવવું છે : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

Budget 2023 | રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગૃહના બંને ગૃહોને સંબોધિત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ મુર્મુએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આપણે આત્મનિર્ભર ભારત બનાવવું છે. તેમણે કહ્યું કે, દેશ આઝાદીના સુવર્ણકાળનો આનંદ અનુભવી રહ્યો છે. તેને પ્રગતિના પંથે લઈ જવાનું છે. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને આંતકવાદ પર કઠોર હુમલા સુધી સરકારે આંતકવાદ વિરુદ્ધ કડક પગલા લીધા છે. તેમણે જણાવ્યું હતું કે, અગાઈ લોકોને ટેક્સ રિફંડ માટે લાંબો સમય રાહ જોવી પડતી હતી. પરંતુ આજે ચિત્ર બદલાયું છે. તમને જણાવી દઈએ કે, આજથી સંસદમાં બજેટ સત્ર શરુ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમન પણ આજે આર્થિક સર્વે રજૂ કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, આઝાદી કે અમૃતકાળમાં દેશ પંચ પ્રાણોની પ્રેરણાથી આગળ વધી રહ્યું છે. ગુલામીના બધા નિશાન અને દરેક માનસિકતાથી મુક્તિ અપાવવામાં અમારી સરકારે નિરંતર પ્રયાસ રહ્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, જે ક્યારેક રાજપથ હતું તે આજે કર્તવ્યપથ બન્યું છે.

Budget 2023 : કોઈ પણ ગરીબ ખાલી પેટ ન સુવે ; દ્રૌપદી મુર્મુ

સંસદના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે, આપણે જોયુ છે કે કોરોના કાળમાં દુનિયાભરના ગરીબ પરિવારને જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું હતું. પરંતું ભારત એવા દેશમાનુ એક છે કે જ્યા ગરીબોના જીવન નિર્વાહની સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે અને આ સાથે કોશિશ પણ કરી છે દેશનો કોઈપણ ગરીબ ભુખ્યા પેટ ન સુવે.

Related posts

143 વર્ષ પહેલા Morbi નાં રાજાએ મચ્છુ પરનો ઝૂલતો પુલ બંધાયેલો, જાણો Morbi પુલની કહાની

Sanjay Chavda

નોટો પર રવીન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામની તસવીર જોવા મળશે!

admin

Abu Dhabi ની એક રેસ્ટોરન્ટમાં કસ્ટમરને મળ્યું ₹ 1.36 કરોડનું બિલ

admin

Leave a Comment