જૈન સમાજનો 24 વર્ષનો એક યુવા સંસારનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે યુવકના દીક્ષા ગ્રહણ કરે તે પહેલા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં 300થી વધારે વ્યક્તિ ઉપસ્થિત રહ્યા હતા. યુવકના આ દીક્ષાના કાર્યક્રમમાં ગુરુકુલમ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક ગણિતની કેટલીક પ્રવૃતિ બતાવવામાં આવી હતી. જેમાં કેલ્ક્યૂલેટરના ઉપયોગ વગર સરળતાથી કઈ રીતે સરવાળા બાદબાકી કરી શકાય તેનો લાઈવ દાખલો ત્યાં પૂરો પાડ્યો હતો. આ કાર્યક્રમના આયોજનની મહત્વપૂર્ણ ભૂમિકામાં JITO અમદાવાદનો ફાળો હતો.