June 24, 2025
Jain World News
GandhinagarGujaratPolitical

નવા મંત્રીમંડળને લઈને ગાંધીનગર કમલમ ખાતે મીટિંગ, ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તાવાર જાહેરાત કરાઈ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના પરિણામો જાહેર થયા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને 156 બેઠક, કોંગ્રેસને 17, આમ આદમી પાર્ટીને 5 બેઠક અને અન્યમાં 4 બેઠકો મળી છે. ભાજપને 156 બેઠકો પર વિજય થતા ભહુમતી સાથે જીત મળી છે. તેવામાં આજે ગાંધીનગર કમલમ ખાતે નવા મંત્રીમંડળને લઈને વિધાનસભા દળની મિટિંગ યોજાઈ હતી. નવા મંત્રીમંડળના નિર્માણ માટે નિરિક્ષકોના નામ જાહેર કરવામાં આવ્યાં હતા. જેમાં રાજનાથસિંહ, અર્જૂન મુંડે અને યેદિયુુરપ્પાના કેન્દ્રીય નિરિક્ષકો તરીકે નામ જાહેર કરવામાં આવ્યાં હતા. ત્યારે આજે પક્ષના નેતાના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.

આગળ વાત કરીએ તો, મુખ્યમંત્રીના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભૂપેન્દ્ર પટેલની ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે બનાવવામાં આવ્યાં. જેમાં મુખ્યમંત્રીના નામનો પ્રસ્તાવ કનુ દેસાઇએ મુક્યો હતો. ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ અને સી. આર. પાટિલ આજે સાંજે દિલ્હી જવા રવાના થશે.

હવે વાત કરીએ નવા મંત્રીમંડળના સંભવિત ચહેરાઓની. તો એમાં હર્ષ સંઘવી, રમણલાલ વોરા, જયેશ રાદડીયા, રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા, પરસોત્તમ સોલંકી, ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, કિરિટસિંહ રાણા, ઉદય કાનગડ, શંભુપ્રસાદ ટૂંડિયા, મનિષા વકીલ, નિમિષા સુથાર, સંગીતા પાટીલ, ગણપત વસાવા નવા મંત્રીમંડળના સંભવિત ચહેરાઓ છે.

Related posts

સ્પર્શ મહોત્સવમાં ભારતભરનાં 40 સખી મંડળ ગ્રુપોએ હાજરી આપી | Sparsh Mahotsav 2023

admin

PM Narendra Modi ના માતા હીરાબાની તબિયતમાં સુધારો થતાં એકાદ દિવસમાં રજા અપાશે

admin

11 વર્ષની બાળકીથી માંડી 75 વર્ષનાં વૃદ્ધા મળીને 8 લાખ 50 હજાર રંગબેરંગી બબલ વ્રેપથી તૈયાર કર્યુ અદભૂત પેઈન્ટિંગ

admin

Leave a Comment