June 24, 2025
Jain World News
FeaturedGujaratOtherPolitical

Surendranagar માં વિશાળ સભાને સંબોધન કરતા PM Narendra Modi એ કહ્યું, “સુરેન્દ્રનગરના લોકોએ મારું અંગત કામ કરવાનું છે.”

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના માંડ હવે બે અઠવાડિયા જેટલો સમય બાકી છે. તેવામાં PM Narendra Modi ગુજરાતના પ્રવાશે આવ્યાં છે. ત્યારે ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે મોદીએ સુરેન્દ્રનગરમાં ભવ્ય સભાને સંબોધન કર્યુ હતું.

ગુજરાતની ચૂંટણી વિધાનસભાનાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ તરફથી પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. આજે PM નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર જિલ્લામાં સભાઓ ગજવવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગુજરાત અને કેન્દ્ર સરકારના વિકાસના કાર્યોની વાત કરી હતી. આ સાથે વિપક્ષો પર આકરા પ્રહાર પણ કર્યા હતા.

આ ચૂંટણી ગુજરાતની જનતા લડે છે : PM નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસના આજે ત્રીજા દિવસે સુરેન્દ્રનગરમાં વિશાળ જનસભાને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, આ ચૂંટણી મોદી કે ભૂપેન્દ્ર નહીં પરંતુ ગુજરાતની જનતા લડી રહી છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, એ લોકો કહે છે કે આ વખતે મોદીને ઓકાત દેખાડી દઈશું. તેના પ્રતિઉત્તરના ભાગે મોદીએ કહ્યું કે, તમે તો રાજવી પરિવારના માણસો છો, મારી તો કોઈ ઓકાત નથી. હું તો સામાન્ય પરિવારનો સંતાન છું.

હું નરેન્દ્ર, ભૂપેન્દ્ર અને આપણું સુરેન્દ્ર આ ત્રિવેણી સંગમ છે : PM નરેન્દ્ર મોદી

સંબોધન દરમિયાન PM મોદીએ સુરેન્દ્રનગરના લોકોને કહ્યું કે, તમારે મારે એક અંગત કામ કરવાનું છે. હું નરેન્દ્ર, ભૂપેન્દ્ર અને આપણું સુરેન્દ્ર આ ત્રિવેણી સંગમ છે. હું દિલ્હીમાં હોવાથી અહીં આવી શકતો નથી, પણ મને તમારી યાદ આવે જ ને… આ સાથે સુરેન્દ્રનગરના લોકોને કહ્યું કે, તમારે મારુ આટલું કામ કરવાનું છે કે તમારે લોકોના ઘરે ઘરે જઈને કહેવાનું છે કે નરેન્દ્રભાઈ આવ્યા હતા અને તમને પ્રણા કહ્યાં છે.

 

Related posts

ગૃહમંત્રી Harsh Sanghavi દ્વારા નવરાત્રીને લઈને જરૂરી સૂચના અપાઈ

Sanjay Chavda

TikTok માં ભારતીય મુળના સમીર સિંહને મળી મહત્વપૂર્ણ જવાબદારી, શું ભારતમાં પાછું આવશે ટિકટોક?

admin

કોમન યુનિવર્સિટી એક્ટ અંગે ઉચ્ચ શિક્ષા મંત્રી ઋષિકેશ પટેલને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો સુજાવ

admin

Leave a Comment