ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં ગણતરીના દિવસો બાકી છે. ત્યારે મોટી ભાગના પક્ષે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તેવામાં ભારતીય જનતા પાર્ટીના એલિસબ્રિજ વિધાનસભાના ઉમેદવાર અમિત શાહ અને પાલડી જૈન નગર વિસ્તારના લોકો વચ્ચે “ચાય પે ચર્ચા” કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીના એલિસબ્રિજ વિધાનસભા ના ઉમેદવાર અમિત શાહ દ્વારા પાલડી જૈન નગરમાં આવેલાં ફ્લેટના ચેરમેન અને સભ્યો સાથે ચાય પે ચર્યા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સહિત પાલડી જૈન નગર વિસ્તારના લોકોએ ચા પીવાની સાથે ચર્ચા કરી હતી. ત્યારે એલિસબ્રિજ વિધાનસભાના ઉમેદવાર અમિત શાહે ચાય પે ચર્ચા કાર્યક્રમમાં લોકોનાં મુદ્દાઓને સાંભળી તેને પુરા કરવાની ખાતરી આપી હતી.
ચૂંટણી પ્રચાર દરમિયાન પાલડી વોર્ડના ભાઈ-બહેનો સાથે મુલાકાત કરી, ચા ની લારી પર ચા ઉકાળીને લોકો સાથે ‘ચાય પે ચર્ચા’ કરી મોદીજીના સંસ્મરણો વાગોળ્યા તેમજ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જંગી મતદાન કરી ભવ્ય વિજય અપાવવા માટે અનુરોધ કર્યો. #amitshah4ellisbridge pic.twitter.com/csvAPxqJPv
— Amit Shah (@AmitShah4BJP) November 17, 2022
અશાંત ધારા વિશે અમિત શાહે શું કહ્યું :
અશાંત ધારા માટે મારા અગાઉનાં ધારાસભ્યએ પણ મહેનત કરી છે. આ સાથે હું ખાતરી આપુ છું કે, અશાંત ધારાનો ભંગ નહીં થવા દઈએ અને નવા કોઈ લોકો નહી આવે. ઉપરાંત જે જૂના લોકોએ આવ્યા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કોર્ટમાં શરૂ છે. જેને અમે વેગ આપીશું.