June 24, 2025
Jain World News
FeaturedGandhinagarGujaratPolitical

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલા ઘાટલોડિયામાં જાહેર સભા યોજી હતી.ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં ઘાટલોડિયા મતક્ષેત્ર વિસ્તારમાં યોજાયેલ રેલીમાં કાર્યકર્તાઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી બાદ ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભર્યું હતું.

ગુજરાતમાં આગામી થોડાક દિવસમાં વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે મોટા ભાગની બેઠકો પર દરેક રાજકીય પક્ષે પોતોના ઉમેદવારોનાં નામ જાહેર કર્યા છે. તેવામાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી ફોર્મ ભરવા જતાં પહેલા સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે જઈને દાદા ભગવાનના આશીર્વાદ લીધા હતા. આમ ફોર્મ ભરતા પહેલા ભૂપેન્દ્ર પટેલની ઘાટલોડિયામાં એક જાહેર સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર નામાંકન પત્ર ભર્યુ :

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેેલે આગામી વિધાનસભા ચૂંટણી માટે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકન પત્ર આજે ભર્યું હતું.

Related posts

તીર્થંકર પરમાત્માનાં 34 અતિશયો વિશે જાણો

admin

ઠંડી વધી ને બાજરાનું વધ્યું વેચાણ, શિયાળામાં લાખો રૂપીયાના બાજરાનું ધૂમ વેચાણ થયું

admin

TikTok માં ભારતીય મુળના સમીર સિંહને મળી મહત્વપૂર્ણ જવાબદારી, શું ભારતમાં પાછું આવશે ટિકટોક?

admin

Leave a Comment