June 24, 2025
Jain World News
BhavnagarFeaturedGujarat

વલ્લભીપુર નગરપાલિકા તંત્રની આતો કેવી કામગીરી? એક વોર્ડમાં સફાઈ ને બીજામાં ગંદકીનો ગરકાવ

વલ્લભીપુર નગરપાલિકાની સફાઈ કામગીરીમાં એક વોર્ડ વિભાગમાં સફાય કામગીરી કરવામાં આવે છે. ત્યારે અન્ય વોર્ડના વિસ્તારમાં કોઈ સફાયની કામગીરી કરવામાં આવતી નથી. ત્યારે સ્થાનિકોની માગ છે કે, રોગચાળો વિકરે તે પહેલા પાલિકાની સત્તાધિશો દ્વારા યોગ્યા કાર્યવાહી કરવામાં આવે.

વલ્લભીપુરમાં કેટલાય સમયથી નગરપાલિકા તંત્ર દ્વારા લોકોને પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં આવતી ન હોવાનું સ્થાનિકોનું જણાવવું છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે પાલિકા પ્રમુખના ઘર પાસે ખુબ મોટા ગંદકીના ઢગલાઓ થવા પામ્યા હોવાનું જાણ્યા મળ્યું હતું. ત્યારે વલ્લભીપુરના વોર્ડ નંબર 1,2 અને 3માં રાબેતા મુજબ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતું વોર્ડ નંબર 4,5 અને 6માં કોઈ સફાઈની કાર્યવાહી કરવામાં આવતી નથી. આમ શું આ લોકો પાલિકા હદ વિસ્તારમાં આવતાં નથી? શું આ લોકો વેરો નતી ભરતા? સત્તાધિશોનાં આવા નીતિ નીયમોનો ભોગ બનેલા વિસ્તારના લોકોને ક્યાં સુધી આ સમસ્યાનો સામનો કરવો પડશે.

પ્રાપ્ત માહિતી મુજબ, પાલિકાના સત્તાધિશોએ લાખો રૂપિયાનાં રોડ રસ્તાના કામો ઓનલાઈન આપવાને બદલે તેમના મળતા અને માનીતા કોન્ટ્રાક્ટરને ઓફલાઈન અથવા એજન્સીને વર્કઓર્ડર મળ્યા વગર અમુક રોડ એડવાન્સમાં કરેલ હોય એવા અનેક પ્રકારના વહીવટો પાલિકાના પદાધિકારીઓ કરી રહ્યા હોય પણ સત્તાના નશામાં ચુર એવા પાલિકા પ્રમુખે જનતા સામે પણ એક નજર કરી એમની સુવિધાઓ પણ પુરી પાડવી જોઈએ. આ સમગ્ર મામલે વિરોધપક્ષના નગરસેવક દ્વારા તાત્કાલીક સફાઈ કામગીરી હાથ ધરવા અને ગંદકીના ઢગલા દુર કરવા માંગ કરેલ છે.

Related posts

GPSC અને GPSSB ની પરીક્ષાનું એક જ તારીખે આયોજન થતાં વિદ્યાર્થીઓમાં મુશ્કેલી વધી, તારીખ બદલવા વિદ્યાર્થીઓની માંગ

admin

24 તીર્થંકરમાંથી 23 તીર્થંકરોએ દીક્ષા પછી પહેલું પારણું ખીરથી કર્યું હતું

admin

Tirthankara | જૈન ધર્મમાં ચોવિસ તીર્થંકરોના નામ કઈ રીતે પડ્યા, જાણો રહસ્ય

admin

Leave a Comment