June 24, 2025
Jain World News
Agriculture

‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ’નાં 1962 હેલ્પલાઈનથી ઘવાયેલાં પશુ-પક્ષીઓની કરો સારવાર

રાજ્યના મહામુલા પશુધનના રક્ષણ અને સંવર્ધનની કાળજી રાખવી એ રાજ્ય સરકારની જવાબદારી છે. ત્યારે આપણા વિસ્તારમાં રખડતાં ઢોરને કોઈ જાતની ઈજા પહોંચી હોય તો તેની સારવાર માટે રાજ્ય સરકાર દ્રારા ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ’ની સેવા શરૂ કરી છે. જેમાં રાજ્યના દરેક જિલ્લામાં આ સુવિધા થકી કેટલાંય અબોલ પશુઓની સારવાર કરવામાં આવે છે. ઘવાયેલા પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને પક્ષીઓને બચાવવાનાં અભિયાન સાથે આ સુવિધા અમલીકરણ કરવામાં આવી છે. જેમાં તમને કોઈ રખડતાં ઢોરની હાલત ગંભીર અને ઈજાગ્રસ્ત જણાય તો તમે 1962 હેલ્પલાઈન નંબર પર ફોન કરીને તેની સારવાર કરાવી શકો છો.

આ સુવિધા દ્રારા અબોલ પશુઓને સઘન સારવાર સુવિધા પુરી પાડવામાં આવે છે. ઉપરાંત પશુઓને થતાં રોગ સામે રક્ષણ મળે તે માટે 1.70 કરોડ પશુઓને ‘ખરવા મોવાસા રોગ’ની રસી અપાઈ હતી. આ સિવાય રાજ્યમાં 3 હજાર જેટલા પશુ આરોગ્ય મેળાનું આયોજન કરીને 63 લાખથી વધુ પશુઓની સારવારમાં આવી હતી. જેના પરિણામે રાજ્યભરના દૂધ ઉત્પાદનમાં ઘણોખરો વધારો જોવા મળ્યો હતો.

Related posts

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં KYC કરાવવું ફરજિયાત

admin

ખેડૂતોની પાવરની સમસયામાં રાહત, સૂર્યશક્તિ કિસાન યોજનાથી થશે વીજળી ઉપલબ્ધ

admin

બાગાયત પાકોની ખેતીમાં ગુજરાત અગ્રેસર સ્થાને

admin

Leave a Comment