ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ તાલુકામાં રાયપુરા ગામમાં એક મોટો પડકાર હતો કે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવું અને તેની ગુણવત્તા જાળવી રાખવી. આ ગામની કિસ્મત બદલી ડૉક્ટર મહેન્દ્ર પ્રસાદસિંહે જે આ ગામની એક શાળાના આચાર્ય હતા. જેમના અથાગ પ્રયાસો થકી ગામના લોકોના જીવન બદલવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવો છે. તેમના માર્ગદર્શન હેઠળ શિક્ષણ પ્રાપ્ત કરીને ગામના 30 જેટલા યુવાનો IAS, IPS, PCS/PPS ઑફિસર્સ બન્યાં.
મીડિયાના અહેવાલ મુજબ, આ ગામની ઉપલબ્ધી પાછળ ડૉ. મહેન્દ્રને શ્રેય જાય છે. જ્યારે તેવો જલાઉનની સરકારી શાળામાં પોતાની ફરજ બજાવતા હતા ત્યારે પણ થોડો સમય કાઢીને વિધાર્થીઓને મદદ જરૂર કરતા હતા. 1993 માં ડૉ. મહેન્દ્ર નિવૃત થઈ પોતાના ગામ રાયપુરામાં પાછા આવ્યાં. ત્યારબાદ તેમણે નિવૃત્તિનો આનંદ માણવાની જગ્યાએ તેમણે બનતી એટલી ગામ લોકોને મદદ થાય તેમ વિચાર્યું હતું. ગામના યુવાનોના ઉત્કર્ષમાં પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમણે આર્થિક પરિસ્થિતિ સારી ના હોય એવા વિદ્યાર્થીઓના અભ્યાસ કરવા માટે મદદ કરી. અને વધુ નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરતા લોકો માટે ટ્રસ્ટની સ્થાપના કરી હતી.
ડૉ. મહેન્દ્રનું ટ્રસ્ટ જરૂરિયાતમંદ વિધાર્થીઓને નાણાંકીય સહાય પૂરી પાડે છે. ગામના તમામ વિદ્યાર્થીઓ, જેમાંથી કેટલાક સિવિલ સર્વિસ ઓફિસર, ડૉકટરો અને એન્જિનિયર્સની આગેવાની લે છે. ત્યારે ગામમાં દશેરા ઉજવણીમાં બધાની ફરીથી ગામમાં મળવાની યોજના છે. તેમની યોજના ગામમાં એ સામાયિક પ્રકાશિત કરવાનું છે. જે ગામના વિધાર્થીઓની સફળતાની વાર્તા કહીને બીજા વિધાર્થીને પણ પ્રેરણા આપશે.