June 24, 2025
Jain World News
News

રાષ્ટ્રીય ખિતાબ ભારત રત્ન, પદ્મશ્રી ચંદ્રકો ક્યાં બને છે અને કોણ બનાવે છે

ભારતમાં વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન આપવામાં આવે છે. રાજનીતિ, સામાજિક કાર્ય, સાહિત્ય, કળા, સંશોધન જેવા વિવિધ ક્ષેત્ર આ સન્માન આપવામાં આવે છે. ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં આનું આયોજન થાય છે.

કલકત્તાની અલીપુર ટંકશાળ ખાતે વિવિધ પ્રકારના ચંદ્રકો બનાવવા આવે છે. ટંકશાળમાં 2800 કારીગર કામ કરે છે. જેમાંથી 150 કારીગરોનું કામ તો ફક્ત ચંદ્રકો બનાવવાનું છે. ભારતનો સર્વશ્રેષ્ટ ખિતાબ ભારત રત્ન પણ અહિંયા જ બનાવવામાં આવે છે. જેને મુખ્યત્વે પ્લેટિનમ વડે બનાવવામાં આવે છે. ફિલ્મ નિર્માતા સત્યજીત રેને અપાયેલ એવોર્ડમાં 41ગ્રામ પ્લેટિનમનો ઉપયોગ કરવામાં આવ્યો હતું. જેમાં કેટલાંક અંશે સોનાની પરત પણ ઉમેરવામાં આવે છે. આમ જોવા જઈએ તો ધાતુની એ વખત કિંમત 1 16 000 થતી. ભારત રત્ન ખિતાબ એ ભારતનો સર્વશ્રેષ્ટ ખિતાબ છે.

આ ઉપરાંત બનાવવામાં આવતા ખિતાબોમાં 14 કેરેટ સોનુ, ચાંદી અને જસતનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કમળનું ફૂલ કોતરેલા ચંદ્રક સમાન લાગે છે. પરંતુ એમાં પાંખડીની સંખ્યામાં તફાવત જોવા મળે છે. પદ્મશ્રીમાં કુલ 5 છે. પદ્મ ભૂષણમાં 4 અને પદ્મ વિભૂષણમાં 3 હોય છે. આની ડિઝાઇન બનાવનાર નન્દલાલ બોઝ મશહૂર ચિત્રકાર હતા. સત્યજીત રે એકમાત્ર ભારતીય છે જેમને પદ્મશ્રી, પદ્મભૂષણ ,પદ્મવિભૂષણ અને ભારત રત્નથી નવાજવામાં આવ્યાં છે.

Related posts

Australia માં ખાલિસ્તાની સમર્થકો દ્વારા હિંદુ મંદિરમાં તોડફોડ, બે મહિનામાં આ ચોથી ઘટના

admin

Christ the Redeemer Statue | જીસસના વિશાળ સ્ટેચ્યુ પર પડી વીજળી, કેમેરામાં કેદ થયાં ચોકાવનારા દ્રશ્યો

admin

તવાંગમાં ભારત-ચીનની હિંસક અથડામણને લઈને ચીને આપ્યું નિવેદન

admin

Leave a Comment