જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી
કાનાને માખણ ભાવે રે અને મીસરી ભાવે રે!
આ લખનારે કેટલું ભાવપૂર્ણ લખ્યું છે કે એક આઠ વર્ષનું બાળક માખણ અને મિસરી ની તાકાત મેળવી રાક્ષસોનું નિકંદન કાઢી શકે! માખણ અને બટર ની વચ્ચે એક મોટો ભેદ છે, બટર pasteurization બનાવવામાં આવે છ, જ્યારે માખણ મલાઇ ને મેળવી અથવા તો મલાઈને ખૂબ ઠંડી કરી બનાવવામાં આવે છે. બટર અને માખણ બંનેને પહેલી દ્રષ્ટિએ જોઈએ તેવું લાગે કે એકબીજાના અનુવાદ કરેલા શબ્દો છે. પરંતુ માખણ જવલ્લે જ બહાર મળે અને બટર જવલ્લે જ ઘરે બને! જસોદા લાલાને માખણ ખાવા દે, ચોરવા દે, ચોરી ને માખણ ખાવા ની સજા કરે, કેટકેટલી લાવો ભગવાનની આપણે વાંચી અને સાંભળી છે. પણ આની પાછળનું વિજ્ઞાન સહજતાથી સમજાય તેટલું સરળ છે. મિસરીએ બંને સાથે મળી શક્તિ પ્રદાન કરે છે. અને એવી શક્તિ પ્રદાન કરે તે બાળક કંસને જરાસંઘનો વધ કરવા માટે સમર્થ બને. આવી શક્તિના સ્ત્રોત આપણા વડવાઓએ ની સાથે એટલી સરળતાથી વણી લીધું છે કે આપણને વિજ્ઞાન સ્વાભાવિક રીતે જ સ્વીકૃત છે.
માખણ અને મિસરી ના બીગ અમને કારણે કેટલાક રોગોમાં કેટલીક તકલીફોમાં ઉપયોગ કરવાથી કડા ફાયદા થઈ શકે છે.
મલાઈને મેળવી વલોવી માખણ મેળવવામાં આવે અને એમાં થોડી સાકર ભેળવી બાળકને રોજ સવારે નાસ્તામાં ખવડાવવામાં આવે તો તે પછી ખાધેલો દરેક ખોરાક સુપાચ્ય થઈ જશે. અહિં સાકર એટલે પતાસા કે ખડી સાકર લેવાની છે ખાંડ કે સુગર નહીં.
માખણ-મિસરી ખાવાથી જો બાળકોને શરદી થતી હોય અથવા તો શિયાળાના સમય તો તેમાં જરા મરીનો ભૂકો નાંખીને ખવડાવો.
માખણ-મિસરી ખાવાથી જો વડીલોના હાથ પગના દુખાવા થતાં હોય તો તેમના શૂટ કે આદુ ભેળવી.
કોઈને કોલેસ્ટ્રોલ કે ડાયાબિટીસ હોય તો તેને માખણની છે સવારના નાસ્તાની પહેલા ખવડાવો.
ખાણ કોઈપણ પ્રકારની બ્લોકેજને ખોલી શકે છે, ચયાપચયની પ્રક્રિયા સરળ બનાવી શકે છે, અશક્તિમાન શક્તિનો સંચાર કરી શકે છે.