June 24, 2025
Jain World News
Jain PhilosophyJainism

ભગવાન મહાવીર અને તેમનાં શિષ્ય જમાલિના મતભેદનું રહસ્ય

જેમ બુદ્ધ ભગવાનના અનેક હરીફોમાં એક હરીફ તેમનો શિષ્ય દેવદત્ત હતો. તેમ ભગવાન મહાવીરના પણ અનેક હરીફોમાં એક હરીફ તેમનો શિષ્ય જમાલિ હતો. આ દેવદત્ત અને જમાલિ વચ્ચ કેટલુંક સામ્ય હતું. આ સામ્ય જાણવાથી ભગવાન મહાવીર અને જમાલિ વચ્ચેના મદભેદના આંતરિક કે બાહ્ય કારણો ઉપર કેટલોક પ્રકાશ પાડવો આવશ્યક છે. જમાલિ એ ભગવાન મહાવીરનો ભાણેજ અને જમાઈ હતો. બુદ્ધ ભગવાન શિષ્યવર્ગમાં પ્રધાનપનું દેવદત્તને સ્થાન મળ્યું ન હતું. જમાલિના સંબંધમાં તેવું જ કઈ હતું.

દેવદત્તે અનેક વખત બુદ્ધ ભગવાનને મારવાની કોશિશ કરી હતી. આમ જમાલિએ કોઈપણ પ્રવૃતિ કરી હોવાના પ્રમાણ નથી. પોતપોતાના ગુરુવિરુદ્ધ જઈને દેવદત્ત અને જમાલિએ પોતાનો અનુયાયીવર્ગ ઊભો કર્યો હતો. આ બાદ દેવદત્તનો ઉલ્લેખ જૈન કે વૈદિક સાહિત્યમાં ક્યાંય જોવા ન મળતાં માત્ર બૌદ્ધ સાહિત્યમાં જ તેનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ઉપરાંત જમાલિનો ઉલ્લેખ માત્ર જૈન સાહિત્યમાં જ નોંધાયો હતો. બૌદ્ધ સાહિત્યમાં દેવદત્તને સૌથી પહેલા સંઘભેદક કહ્યો છે. જ્યારે જૈન સાહિત્યમાં જમાલિને નિહ્રવ કહ્યો છે. જે બંને શબ્દોનો તાત્પર્ય એક જ પ્રાપ્ત થાય છે. ત્યારે દેવદત્ત અને જમાલિ એ બંને પોતપોતાના ગુરુની હયાતીમાં જ કાળધર્મ પામ્યા હતાં.

જમાલિ કોણ હતો

જમાલિ ક્ષત્રિય હતો. તે ભગવાન મહાવીરના જન્મસ્થળ ક્ષત્રિયકુંડનો નિવાસી હતો. એવું માનવામાં આવે છે કે, જમાલિ એ ભગવાન મહાવીરનાં સગામાંથી હતો. જમાલિએ ભગવાન મહાવીરની બહેન પ્રિયદર્શનાનો પુત્ર અને મહાવીરની પુત્રી સુદર્શાનાનો પતિ હતો. જમાલિ વૈભવશાળી રાજા હતો. એક સમયે ભગવાન મહાવીર ક્ષત્રિયકુંડની બહાર ઉદ્યાનમાં પધાર્યા ત્યારે જમાલિ મોટા ઠાઠમાઠ સાથે આવીને મહાવીર પાસે ધર્મ ઉપદેશ સાંભળ્યાં હતાં. તેનાથી પ્રભાવિક થઈને જમાલિ આકર્ષાયો હતો.

ત્યારબાદ જમાલિએ મહાવીરને ભિક્ષુ થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ જમાલિએ મહાવીરની પરવાનગી મળતાંની સાથે પોતાના માતા પિતાને ભિક્ષુ બનવાની વાત કરતાં તેનાં માતાપિતાએ ન છૂટકે અનુમતી આપી હતી. આ પછી મોટી ધામધૂમની સાથે જમાલિએ અન્ય 500 પુરુષો સાથે ભગવાન મહાવીર પોસેથી દિક્ષા લીધી અને અધ્યયન શરૂ કર્યું. એક વખત જમાલિ ભગવાન મહાવીર પાસે જઈને 500 ભિક્ષુથી અલગ વિચારવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે મહાવીરનું મૌન હોવાથી તેઓ કશું બોલ્યાં ન હતાં. અંતે જમાલિ પોતાના 500 ભિક્ષુઓથી અલગ પડીને સ્વતંત્ર વિચારવા લાગ્યો હતો.

Related posts

ભાડાના ઘરમાં રહો ને પોતાના ઘરમાં રહો કેટલો ફરક? શ્રીપાળ કથા – પ્રવચન PART 07

admin

બાપ અને દિકરી વચ્ચે કર્મ અને અહંકારનો ખેલ, શ્રીપાળ કથા – પ્રવચન PART 15

admin

જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન માત્ર જૈનોનાજ ન્હોતા

admin

Leave a Comment