પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશ અને રાજ્યના અનેક ખેડૂતો તેમાં રજીસ્ટ્રેશન કરાવીને તે યોજનાનો લાભ રહ્યાં છે. સરકાર દ્રારા જે ખેડૂતોની પાસે જમીન છે તેમને પોતાના ખાતા નંબર અને જરૂર વિગતો સાથે પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવ્યાં બાદ તેનો લાભ લઈ શકે છે. જેમાં દેશનાં દરેક જમીન ખાતેદાર અને જેમણે આ યોજનામાં પહેલાંથી અરજી કરેલી છે તેમને વર્ષ દરમિયાન રૂ.6000 ની સહાય હપ્તાં સ્વરૂપે કરવામાં આવે છે. જેમાં બે-બે હજારનાં ત્રણ હપ્તાં દરેક નોંધણી કરાયેલ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
વાવણી માટે કૃષિ ધિરાણ પર ઝીરો ટકા વ્યાજ અને ખેડૂતોને બિયારણ ખાતર તેમજ અન્ય જરૂરી ખર્ચ માટે સરકાર ખેડૂતોને ઝીરો ટકાના દરે સહાય પૂરી પાડે છે. જેમાં 15 લાખથી વધુ ખેડૂતોને સરકારે લાભ આપવામાં સક્ષમ રહી છે. ત્યારે વ્યાજદર સહાય માટે રૂ.1000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના દરેક ખેડૂત પરિવારને સરકાર દર વર્ષે રૂ.6000 ની સહાય કરે છે. આ યોજના થકી સરકારે 59.70 લાખ ખેડૂત કુટુંબોને રૂ.8996 કરોડથી વધુને સરકારે ચુકવણી કર્યાનું જાહેર કર્યુ છે.
કઈ રીતે PM કિશાન સન્માન નિધિ યોજનામાં અરજી કરવી
– તમારી ગ્રામ પંચાયતમાંથી આ યોજનાનું ફોર્મ લેવું.
– ફોર્મમાં જરૂરી વિગતો ભરીને સાથે જરૂરી જણાતાં ડોક્યુમેન્ટ ઉમેરવાં અને તલાટી પાસે જમાં કરવું.
– ઉપરાંત, PM કિશાન સન્માન નિધિ યોજનાની ઓફિસિયલ વેબસાઈટમાં જઈને તમે જાતે જ રજીસ્ટ્રેશન કરી શકો છો.
– ઓનલાઈન રજીસ્ટ્રેશન થયાં બાદ ઓનલાઈન તમારા ડેટા વેરેફાય થાય પછી તમારું રજીસ્ટ્રેશન ફાઈનલ થશે.
– તમારું ઓનલાઈન રજીસ્ટ્રેશન થયાં પછી તમે જાતે તમારા ફોનથી સ્ટેટસ અપડેટ જાણી શકશો.
KYC વેરિફાય કરવું ફરજિયાત
હાલમાં સરકાર દ્રારા ખેડૂતોને આપવામાં આવતી પી.એમ. કિશાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતીમાં મદદરૂપ બની રહે તે માટે વર્ષે રૂ.6000ની સહાય આપવામાં આવે છે. જેમાં પી.એમ. કિશાન સન્માન નિધિ નોંધણી કરાયેલ તમામ જમીન ધારકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ત્યારે આ યોજનાનો લાભ લેતાં તમામને માટે KYC વેરિફાય કરવાં જણાવામાં આવ્યું છે. આમ KYC વેરિફાય કરેલાં ઉમેદવારોને મળતાં લાભો યથાવત રાખવામાં આવશે. જ્યારે જેને KYC વેરિફાય કરવાનું બાકી હોય તેને KYC વેરિફાય કરાવવું આવશ્યક છે.