June 24, 2025
Jain World News
Agriculture

પાકનો સંગ્રહ કરવાં ગોડાઉન બનાવો, ને યોગ્ય ભાવ મળતાં કરો વેચાણ

ખેડૂતો દ્રારા અમુક સિઝન પ્રમાણે પાકનું ઉત્પાન કર્યાં પછી તેનાં યોગ્ય ભાવ મળતાં વેચી નાખે છે. પરંતું ક્યારેક ખેડૂતોને પોતાના ધાર્યા અનુસારના ભાવ ન મળતાં તેઓ તે પાકનો સંગ્રહ કરતાં હોય છે. તેવામાં કેટલાંક એવાં પણ ખેડૂતો હોય છે કે, તેમની પાસે પાકના સંગ્રહ કરવાં માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેઓને પોતાની મરજી ન હોવા છતાં પાકનું વેચાણ કરવું પડે છે. ત્યારે સરકાર દ્રારા ખેડૂતોને પાકનો સંગ્રહ કરવા માટે ખેતરમાં જ એક ગોડાઉન બનાવી શકે તે માટેની યોજના બહાર પાડવામાં આવી છે.

ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા પાકનાં સંગ્રહ શક્તિ માટે ગોડાઉનની સહાયમાં નોંધપાત્ર વધારો કર્યો છે. જેમાં રાજ્યના 1001 ગોડાઉનમાં કુલ 2.14 લાખ મેટ્રિક ટન પાકની સંગ્રહશક્તિ માટેની સુવિધા પૂરી પાડવામાં આવી છે.
આ સાથે રાજ્યમાં 450થી વધુ કોલ્ડ સ્ટોરેજોમાં 23 લાખ મેટ્રિક ટન પાક સંગ્રહ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી. જ્યારે રાજ્ય સરકાર દ્રારા વર્ષ 2022 સુધીમાં ૩૦ લાખ મેટ્રિક ટન સંગ્રહશક્તિ સુવિધા ઉપલબ્ધ કરવાનો સંકલ્પ કરાયો હતો. ઉપરાંત કૃષિ ઉત્પાદનની ગુણવત્તામાં વધારો તથા જાળવણીની સુર્દઢ વ્યવસ્થાના કારણે લાખો ખેડૂતોને તેમની ઉપજનો સારો ભાવ મળતો થયો છે.

Related posts

2020-21માં ખેડૂતોને રૂ.4357 કરોડની રાસાયણિક ખાતરની સહાય કરવામાં આવી

admin

ખેડૂતોની પાવરની સમસયામાં રાહત, સૂર્યશક્તિ કિસાન યોજનાથી થશે વીજળી ઉપલબ્ધ

admin

‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ’નાં 1962 હેલ્પલાઈનથી ઘવાયેલાં પશુ-પક્ષીઓની કરો સારવાર

admin

Leave a Comment