June 24, 2025
Jain World News
Jain FestivalJainism

જૈનોમાં જ્ઞાનની સમૃદ્ધી કરાવતો તહેવાર “જ્ઞાન પંચમી”

જૈન સમુદાયમાં ધાર્મિક તહેવારોને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. જૈન ધર્મમાં જ્ઞાન પંચમી એ મહત્વપૂર્ણ તહેવારોમાંથી એક છે. આ ઉત્સવની પણ વિશેષતાં જોવા મળે છે. આ તહેવારમાં જ્ઞાનને પીરસવામાં આવે છે. લોકોને જેટલું બને એટલું જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે પુસ્તકની પ્રસ્તુતી અને તેનું પુજન કરવામાં આવે છે. આમાં સાર અને ખરાબ વચ્ચેના તફાવતને સમજવાની અનુભૂતી આ તહેવારમાં જોવા મળશે. એટલે જ્ઞાનની સમૃદ્ધી કરાવતો તહેવાર મનાય છે.

“જ્ઞાન પંચમી” જૈનોની તમામ રજાઓમાં સૌથી મહત્વની છે. આમ તેને લાભ પંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત આ દિવસને જયા પંચમી એટલે કે પાંડવ પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશેષમાં કહિંએ તો સૌભાગ્ય પંચમી અને લાભ પંચમી એક જ દિવસના બે નામ છે. દિવાળી પછીના પાંચમા દિવસે આયોજિત આ પ્રસંગ ફક્ત વધુ શાણપણ મેળવવાના હેતુ માટે છે. “જ્ઞાન પંચમી” એ કારતકના પાંચમા દિવસ ઉજવવામાં આવે છે. જેથી તેને “જ્ઞાન દિવસ” તરીકે ઓળખાય છે. આ દિવસે પવિત્ર ગ્રંથો પ્રસ્તુત કરવાં અને પુસ્તકનું પુજન કરવામાં આવે છે. આંતરિક આત્માનો સહજ પ્રકાશ “જ્ઞાન” તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે આ પ્રકાશ માણસોને સારા અને ખરાબ વચ્ચેનો તફાવત કરવામાં મદદ કરે છે. જ્ઞાનને ‘ત્રીજી આંખ’ અથવા ‘બીજો સૂર્ય’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અંતર્ગત આંતરિક પ્રકાશ અજ્ઞાનને દૂર કરવા અને કર્મ જ્ઞાનને પ્રગટ કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે, તેથી શાણપણ અજ્ઞાન અથવા મૂર્ખતાને બદલે છે.

Related posts

અરિહંતની પ્રેક્ટિકલ આરાધના શું છે? શ્રીપાળ કથા – પ્રવચન PART 05

admin

ભગવાન મહાવીર અને તેમનાં શિષ્ય જમાલિના મતભેદનું રહસ્ય

admin

સતિ ને મન એક જ પતિ ! શ્રીપાળ કથા – પ્રવચન PART 16

admin

Leave a Comment