June 24, 2025
Jain World News
Jain PhilosophyJainism

આસ્તિક અને નાસ્તિક શબ્દનાં જન્મની કહાની

આસ્તિક અને નાસ્તિક શબ્દ ઉત્પત્તિ પાછળનાં રોચક તથ્યો

એક જમાના વખતે, પુનર્જન્મની શોધ આર્ય ઋષિઓઓ કરી હોવાનું માનવામાં આવે છે. આમ તે સમયે પુનર્જન્મના વિચારની સાથ-સાથે કર્મના નિયમો અને લોક-પરલોકની કલ્પના પણ અસ્તિત્વમાં આવી હતી. આ વાત કોઈને સીધેસીધી ઉતરે તેમ ન હોવાથી પુનર્જન્મને લઈને ઘણાં મતભેદો જોવા મળેલાં. આમ જૂના જમાના વખતે એક એવો પણ વર્ગ હતો કે જે પુનર્જન્મ અને કર્મચક્ર વગેરે જેવી બાબતોને માનવ તદ્દન તૈયાર ન હતો. જેથી તેઓ પુનર્જન્મ પર વિશ્વાસ રાખતાં અને પુનર્જન્મને માનનારા ઋષિ સાથે ચર્ચા પણ કરતાં. ત્યારે પુનર્જન્મશોધક ઋષિઓએ પોતાના પુનર્જન્મના ખ્યાલને ન માનનારાને નાસ્તિક કહ્યાં અને પોતાના પક્ષને આસ્તિક તરીકે જણાવ્યાં. આમ તે સમયે આ ઋષિઓનાં પક્ષથી ભિન્ન તરીકે ઓળખાતા માટે નાસ્તિક શબ્દપ્રયોગ કર્યો હતો. તે સિવાય આ શબ્ન વાપરવા પાછળનો બીજો કોઈ અર્થ ન હતો. ત્યારબાદ આ શબ્દો સૌને અનુકૂળ થઈ પડ્યાં હતાં.

આગળ વખત જતાં વળી ઈશ્વરની માન્યતાનો પશ્ન ઊભો થયો. જેમાં ઈશ્વર છે અને તેજ જગતનો કર્તા છે એવું માનનારો એક પક્ષ હતો. જ્યારે બીજો એવું પક્ષ હતો કે જે ઈશ્વરને માનતો ન હતો. એટલે આવા બે પક્ષ અસ્તિત્વમાં આવ્યાં. અગાઉ જે આસ્તિક અને નાસ્તિક શબ્દ પુનર્જન્મ વખતે વપરાયાં હતાં એ શબ્દો ઈશ્વરની હયાતી છે કે નહિં તેવું માનનારામાં વપરાવાં લાગ્યાં. આ રીતે આસ્તિક નાસ્તિક શબ્દના અર્થનું ક્ષેત્ર પુનર્જન્મથી વિશેષ ઈશ્વરના અસ્તિત્વ અને નાઅસ્તિત્વ સુધી ગયેલું.
આમ પુનર્જન્મમાં માનનાર પણ ઈશ્વરની હયાતી છે તેવું માનતાં તેઓ આસ્તિક ગણાયાં અને આ સિવાયનાં ન માનનારાંને નાસ્તિકમાં સમાવવામાં આવ્યાં. જ્યારે આર્ય પુરુષોએ પોતાના જ પક્ષના પણ ઈશ્વરમાં ન માનનાર પોતાના ભાઈઓને ફક્ત પોતાનાથી અલગ તરી આવે તે માટે નાસ્તિક કહ્યું હતું. તે રીતે સાંખ્ય, મીમાંસક, જૈન અને બૌદ્ધ એ બધા પુનર્જન્મવાદીઓ પણ એક રીતે આસ્તિક છતાં બીજી રીતે નાસ્તિક કહેવાયાં.

Related posts

જૈન ધર્મના 18માં તીર્થંકર શ્રી અરનાથ ભગવાન

admin

24 તીર્થંકરમાંથી 23 તીર્થંકરોએ દીક્ષા પછી પહેલું પારણું ખીરથી કર્યું હતું

admin

સિદ્ધ ઇન્દ્રજાળ ની સ્થાપનાથી દૈનિક આવક અને વ્યવસાયમાં મેળવો પ્રગતિ, જાણો સિદ્ધ ઇન્દ્રજાળ નાં અનેક ફાયદાઓ

admin

Leave a Comment